________________
પ: શ્રી સુમતિનાથ જિન સ્તવન
[૧૬૧ ત્યાગ કરે, એટલે એ બન્ને સંબંધમાં પણ કોઈ પ્રકારનું અભિમાન ધારણ ન કરે. જેમ આંધળા મનુષ્યની કાંધ પર પાંગળો માણસ ચઢીને ચાલે છે, પણ એને ભેદ ન જાણનાર માણસ એ પાંગળાની આંખને આંધળા મનુષ્યની આંખે ગણે છે એ પ્રમાણે આત્મા અને શરીરનો સંબંધ છે. પણ જે એને ભેદ નહિ જાણવાવાળે અજ્ઞાની આત્મા જે દેખાય છે તેને અંગનું દશ્ય જાણે છે. પણ આંધળા અને પાંગળાને ભેદ જાણનાર પુરુષ પાંગળાની આંખને આંધળાની આંખે છે તેમ નથી જાણતે, એ રીતે આત્મા અને શરીરને ભેદ જાણનાર પુરુષ આત્માને દશ્ય હોય તેને દેહના દશ્ય તરીકે જાણે નહિ, કારણ કે આત્મા ચૈતન્ય જ્ઞાનવાન છે, પણ દેહ વગર ચાલી શકતા નથી, તેથી તે પાંગળાની માફક એ ભેદને એ જાણ નથી. દેહ અચેતન (જડ) છે એટલે આ આત્મા અંધ સમાન છે. આ ભેદને જે જાણે તે દેહમાં કાંઈ નથી એમ જાણીને આત્મામાં જ આત્મા છે એમ જાણે છે. અજ્ઞાની કોઈને ગાંડે (ઉન્મત્ત) થયેલે જાણે છે અને તે આત્મા છે એવા વિશ્વમમાં પડી જાય છે એટલે અજ્ઞાની પિતાના આત્માને ભૂલી જાય છે, અને એ ચૈતન્યવંત થાય ત્યારે પિતાની જાતને ઓળખે છે, પણ જે તત્વદશી હોય છે તે સર્વ અવસ્થામાં વિભ્રમમાં ન જ પડી જાય અને સર્વ અવસ્થામાં આત્માને ઓળખે અને કદી ભૂલે નહિ. જે પ્રાણની શરીર પર આત્મબુદ્ધિ હોય છે એ મિથ્યાદષ્ટિ કદાચ જાગતું હોય કે ભણતે હોય તે પણ તે કર્મથી છૂટતું નથી, પણ જેને આત્મા આત્મા સંબંધી નિશ્ચિત થઈ ગયું હોય છે તે સૂઈ જાય કે ઉન્મત્ત બની જાય તે પણ કર્મબંધથી છૂટી જાય છે. જેવી રીતે બત્તી દીવાને પ્રાપ્ત કરીને દી પિતે જ થઈ જાય છે તે પ્રકારે આ આત્મા સિદ્ધસ્વરૂપ અનુભવ કરીને સિદ્ધપણું પ્રાપ્ત કરી લે છે, આત્મા આત્માને આરાધીને પરમાત્માપણાને પામે છે. જેમ ઝાડ પોતાને પિતાથી જ ઘસીને અગ્નિમય થઈ જાય છે તે રીતે તે પરમાત્મા થઈ જાય છે. આ આત્મા ઉપર જણાવેલ પ્રકારના વચનને અગોચર પરમેષિપદને દયાવીને એ પદને પ્રાપ્ત કરે છે અને પછી કદી પાછા આવતા નથી. જે આત્માનું વિજ્ઞાન માત્ર સમ્યગુ પ્રકારે ચાહે છે તેણે જાણવું જોઈએ કે જ્ઞાનીને પરમ પદ (મોક્ષ) વિના પ્રયત્ન જ થઈ ગયું છે. જેમ સ્વમમાં પોતાની જાત ખલાસ થઈ ગઈ, નાશ પામી ગઈ એવું દેખાવા માત્રથી આત્મા નષ્ટ થતું નથી, એમ જ જાગતાં હૃદયને પણ વિનાશ નથી. પણ બને જગાએ જગતના વિનાશને ભ્રમ વિશેષતા વગરને થાય છે. તું આત્માને આત્મામાં પિતાથી જ જાણું કે પોતે અતિન્દ્રિય છે અને પિતે ઇન્દ્રિયને ગોચર નથી. શરીરમાં આ શરીર જ આત્મા છે એ પ્રકારને અભ્યાસ કરનાર અથવા જાણનાર તેણે શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય તે પણ એ કર્મથી છૂટ નથી, શાસ્ત્રશૂન્ય છે. અને જે આત્મામાં આત્માને જાણે અને માને છે તે કર્મથી છૂટી મુક્ત થઈ જાય છે. જે જ્ઞાનને સુખે સુખે અભ્યાસ કર્યો હોય છે તેવું જ્ઞાન દુઃખ આવે ત્યારે સર્વ મૂકે છે, તેથી યેગી દુઃખને અંગીકાર કરે છે અને તત્વને અનુભવ
૨૧