________________
૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન
[૩૩૯ આવા વિચિત્ર મનને પિતાના કાબૂમાં રાખવું અને પ્રભુ-ભગવાનમાં એને લગાડી એકાગ્ર કરવું, તેવી સ્થિતિ કરી દેવા પ્રભુને વિજ્ઞપ્તિ કરવી એ આ સ્તવનને ભાવ છે. અને જ્યારે આપણે મનને બરાબર અભ્યાસીએ છીએ ત્યારે જણાય છે કે એને કાબૂમાં રાખવું એ ઘણી મુશ્કેલ વાત છે. મનનાં કામો બરાબર વિચારીએ છીએ ત્યારે જણાય છે કે એ તે જરા જરામાં પણ આકાશ ને પાતાળ એક કરી નાંખે. અને નવરા પડીએ કે જરા એકાંત સાધીએ ત્યારે તે એ વધારે જોર કરી જ્યાં ત્યાં રખડવા ચાલ્યું જાય છે અને આપણો સરસ વખત બગાડી નાખે છે. સામાયિક-પૂજામાં પણ એની ચપળતા એટલી બધી છે કે એ સમતાભાવે આરામ લેતું નથી, પણ અતિ ચપળ થઈને દૂર દેશમાં જાય આવે છે અને તેટલા માટે “સસરા હેઠવાડે ગયા” એમ વહુ પાસે સામાયિક કરતા શ્વસુર માટે બોલાવે છે. મનની એક બીજી ખાસિયત છે કે અમુક વિચાર મનમાં ન કરે એ આપણે નિશ્ચય કરીએ ત્યારે તો તે વિચાર બેવડા જોરથી આવે છે. દાખલા તરીકે આપણે કૂતરા સંબંધી આજે કાંઈ વિચાર કરે નથી કે અમુક માણસને યાદ જ કરવો નથી, એમ નિશ્ચય કરીએ ત્યારે તે કૂતરા અને અમુક માણસ તો બરાબર સાંભરે જ. અમુક કામ ન કરવા વિચાર કરીએ તે કામ ખૂબ વખત યાદ આવી આપણા નિશ્ચયને છિન્નભિન્ન કરી નાખે છે. આવું મન હોવાથી એને એક ઠેકાણે પ્રભુમાં એકાગ્ર કરવું એ ભારે મુશ્કેલ કામ છે. એ તો હજાર જાતનાં છટકાઓ શોધશે અને ન યાદ રાખવા જેવી વાતને ફરી ફરીને આપણી યાદદાસ્ત પર લાવશે. આવા મનને વશ કરવા, એકાગ્ર કરવા શું કરવું તે સમજાતું નથી. અને મનને જેમ જેમ સમજાવવામાં આવે છે તેમ તેમ તે વધારે ચપળ બનતું જાય છે. એટલા માટે મનને એકાગ્ર કરવાને વાસ્તુ અંતે પ્રભુને વિનતિ કરવામાં આવે છે.
જ્યારે પિતાનું કંઈ ન ચાલે ત્યારે અંતે પ્રભુનો આશ્રય લેવો પડે છે. પ્રાણી જાણે છે કે પ્રભુ તે શુભ નિમિત્ત છે. એ કાંઈ કરવાના નથી અને એનાથી કાંઈ થઈ શકતું નથી, પણ ભગવાન કંઈ કરશે એવી આશામાં પ્રભુને તે વિનવે છે. વસ્તુસ્થિતિ એ છે કે પ્રભુ તે જાતે નિરંજન નિરાકાર છે. એ કદી અવતાર લેતા નથી અને આપણી પાસે આવતા નથી. માટે સર્વ વિજ્ઞપ્તિ એક રીતે નિષ્ફળ છે. પણ પિતે જ જે સર્વ પૌગલિક સંગને ત્યાગ કરી પિતાનું આત્મતત્વ વિચારે તો આ અનંતશક્તિવાળે આત્મા પિતાની ધારણામાં સફળ થાય છે અને તે સ્થિતિ પિતે જ લાવી શકે છે. માત્ર પિતાના આત્માને તે વસ્તુને ક્ષમ કરે જોઈએ અને ધ્યાનધારાએ વધવું જોઈએ. આ ઉપાય પિતાની પાસે હોવા છતાં એ પોતાનું મન વશ કરવા પ્રભુને વિનંતિ કરે છે એ ભક્તિની દષ્ટિએ ઠીક છે, પણ વસ્તુતઃ તો પિતે જ જાતે કમસર આગળ વધવું જોઈએ. મને આવું છે એ સમજી તેને વશ કરવા પ્રયત્ન કરવો અને મનને બરાબર ઓળખવું, એ આખા સ્તવનને ભાવાર્થ છે. એને સમજી જે એને એકાગ્ર કરવા પ્રયત્ન કરશે તે આ ભવ પરભવમાં સુખી થશે અને અંતે અજરામર સ્થાનકે પહોંચશે. માટે મનને કાબૂમાં લેવા પ્રયત્ન કરે અને બહારના કોઈ કરી આપશે એ આશામાં પડી રહેવું નહિ.