Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 491
________________ ૪૭૫ ર૪-૧ : શ્રી મહાવીર જિન સ્તવન વિવેચન—આ દરેક ગાથામાં મેં વીરપણું માગ્યું છે તેને અંગે ઘણું રહસ્ય છે, તે આપની પાસે જણાવું છું. આ વીર્ય પણું–વીરપણું–બહાદુરી તે મારા પિતામાં જ–મારા આત્મામાં જ-છે એમ આપના કહેવાથી જાણ્યું. અને ધ્યાન–એકાગ્રતા અને વિજ્ઞાનના પ્રમાણમાં તે ધ્રુવપદને ઓળખવાની જ મારે વાર છે. હું ધ્યાનમાં જેટલે સમય કાઢું અથવા વિજ્ઞાનથી મારામાં રહેલું શૌર્ય ઓળખું અને વધારું તેટલી જ વાર છે. જેટલી હું એકાગ્રતા કરીશ અથવા મારા પિતાના વિજ્ઞાનના ગે તેને જાણીશ, તેટલે અંશે તે વધતું જ જશે : એ આપના તરફથી થયેલી માહિતી માટે અને મારી આંખ ઉઘાડવા માટે આપને ત્રાણી છું. મતલબ, જ્ઞાનથી યા ધ્યાનથી આત્માનુભવ કરવાની ઘણી જરૂરિયાત છે, અને આપે જ તે જણાવ્યું તે બહુ સુંદર કામ કર્યું” છે. હવે એ મારી શક્તિ માટે કેવી રીતે પ્રગટ કરવી તેની બાબતને પણ જરા ઉલેખ કરી નાખું છું. (૬) આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દશન જ્ઞાન વિરાગે, “આનંદઘન પ્રભુ જાગે રે. વીર. ૭ અર્થ—ટેકનું સાધન જે મૂકી દે અને પર પરિણતિને દૂર કરે તે ક્ષય ન પામે તેવા દર્શન, જ્ઞાન અને વૈરાગ્યની અનુકૂળતાએ અંતે આનંદઘનના પદને જાગ્રત કરે. (૭) વિવેચન–આ પ્રાણી જ્યાં સુધી સાધ્યને પ્રાપ્ત કરવા માગે હોય ત્યાં સુધી અનેક અવલંબન-ટેકાઓને લે છે. એ પ્રતિક્રમણ કરે, તપસ્યા કરે, વિનય વૈયાવચ્ચ કરે, પ્રભુની મૂર્તિનું પૂજન કરે વગેરે અનેક અવલંબને લે અને અમુક સાધ્ય પ્રાપ્ત કરવા માટે ટેકાઓ અને અવલંબનેને આદરે પણ આખરે એ આલંબને તે બહારની વસ્તુ છે, પરભાવ છે, પર પરિણતિ છે, એમાં ને એમાં અનેક જીવન સુધી પડી રહેવાનું નથી; જ્યારે બને ત્યારે આ પરાવલંબન કે પરસાધનેને છોડી દેવાનાં છે. પોતે પરાવલંબન ત્યાગવાનાં છે, પણ તેની મર્યાદા હોય છે. એ જ્યારે સ્વાવલંબન કરી શકે, પોતાના આત્માની ઉપર આધાર રાખી શકે, ત્યારે આ આલંબને તજવાં જોઈએ; આખા જીવન સુધી કે અનેક ભવાંતર સુધી આ આલંબન અને ટેકાઓ ઉપર આધાર ન રાખે; કારણ કે એ આલંબનો-સાધને આખરે પરવસ્તુ છે, પરપરિણતિ છે. પણ સ્વાવલંબન માટે પોતાની તૈયારી છે કે નહિ તે બરાબર વિચારવું પાઠાંતર-પરિણતિ” સ્થાને ભીમશી માણેક “પરીણતિ' છાપે છે. (૭). શબ્દાથ–આલંબન = ટેકા, પ્રાથમિક દશાને અવલંબને. સાધન = ટેકા, જવર, વાડના વેલા. ત્યાગે = તજી દે, છોડી દે, મૂકી દે. પર = આત્માથી અન્ય, પર વસ્તુ, બીજી વસ્તુ. ભાગે રે = છેટો જાય, આઘો ખસે. અક્ષય = કદી જેને નાશ ન થાય તેવું, હમેશનું. દર્શન = દેખવું તે, મોક્ષ, બીજુ કમ જ્ઞાન = જાણવું તે, પ્રથમ કર્મ, વૈરાગે = વિરાગતાએ આનંદધન = આનંદને સમૂહ, જ. જાગે = જાગૃત રહે. ઊંઘે નહિ. (૭)

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536