Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 495
________________ ૨૪–૨ : શ્રી મહાવીર્ જિન સ્તવન [ ૪૯ ખરી સ્થિતિનું ભાન કરાવનાર કોઇ નીકળી આવે અને તેનું ધ્યાન દોરે તે એનામાં જ્ઞાન ભાસતું જ નથી. અને એ આવ્યા હાય તેવા ખાલી હાથે અત્ર સર્વાં મૂકીને ચાલ્યા જાય છે. તેવા માણસને વિચારમાં નાખી દે તેવું આ સ્તવન છે. તે કેની કૃતિ છે તે સહજ વિચારી ગયા. હવે એ શું કહે છે તે આપણી આવડત પ્રમાણે આપણે વિચારીએ. સ્તવન ( પથડો નિહાળું રે બીજા જિનતણા-એ દેશી ) ચરમ જિણેસર વિગત સ્વરૂપનું, ભાવું કેમ રસ્વરૂપ? સાકારી વિષ્ણુ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂપ. ચરમ૦ ૧ અથ—છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું સ્વરૂપ તે અત્યારે નાશ પામેલ છે; તે શુદ્ધ ચેતના કહે છે કે સાકારી ન હાય તેનું ધ્યાન તે શકય કેમ થઈ શકે ? એ તે પોતે કોઇ જાતના વિકાર વગરના છે, ફેરફાર વગરના છે, પોતાના રૂપ–આકાર વગરના છે. તે શુદ્ધ ચેતના કહે છે કે એનું હું ધ્યાન કેમ કરીને કરું ? મારા રસ્તામાં અનેક મુશ્કેલીએ છે. (૧) વિવેચન—છેલ્લા તીથંકર, જે વિગતસ્વરૂપી છે, જેનું સ્વરૂપ સમજવું ઘણું મુશ્કેલ છે, તે હું કેવી રીતે ભાવું ? કારણ કે સાકારી વગર તે સ્વરૂપને ખ્યાલ આવવે ઘણા મુશ્કેલ છે. અને તે પોતે અવિકારી અને અરૂપી છે. આવા અવિકારી અને અરૂપીનું ધ્યાન પણ કેમ કરવું ? કારણ કે ધ્યાન કરતાં રૂપ તે જોઇએ. આ મુસીબતના જવાબ આપે છે તે આપણે આગળ જતાં વિચારીશું. આ વિગતસ્વરૂપીનું ધ્યાન મનઃપવજ્ઞાનીથી પણ જાણી ન શકાય તેવું છે. રૂપસ્થ ધર્મધ્યાન સુધી આકાર હોય છે અને ત્યાં સુધી તે મૂર્તિપૂજાને સ્વીકાર આગમમાં કર્યો છે. રૂપાતીત ધર્મ ધ્યાનના પ્રકાર પ્રાપ્ત કરવેા એ કેટલેા મુશ્કેલ છે તે આપણે વિચારવા જેવું છે. બાકી, આ કાળનાં સંઘયણ અને સંસ્થાન વિચારતાં તે રૂપ વગર ધ્યાન સંભવતું નથી; ત્યારે કેમ કરીને પ્રભુનું ધ્યાન આ કાળમાં થઈ શકે ?–એવે આ પ્રાણીને પ્રશ્ન થવા તે સાહજિક શબ્દા—ચરમ = છેલ્લા. જિણેસર = જિનેશ્વર, તીથંકર. વિગત = ગયેલું છે, નાશ પામેલ છે, નથી. સ્વરૂપ = પોતાનું રૂપ, દેખાવ. ભાવુ = જાણું, ધ્યાનમાં લઉં. કેમ = કઈ રીતે. સ્વરૂપ = પોતાનું રૂપ, બાહ્ય દેખાવ. સાકારી – આકારને ધારણ કરનાર, આકાર સહિત હોય તે. વિષ્ણુ = વગર, વિના, સિવાય ધ્યાન = એકાગ્રતા, શાસ્ત્રમાં બતાવેલ ધ્યાનના પ્રકારો, ન સંભવે = શક્ય નથી. એ = તે, પેલા, તીથ''કર અવિકાર = જેમાં વિકાર ન થાય તેવા, અવિકારી, ફેરફાર વગરના. અરૂપ= રૂપ વગરના, અરૂપી. (૧) ૧. જ્ઞાનસારનું આ સ્તવન ભીમશી માણેકના ગ્રંથમાં છપાયેલું છે. તેને સરખાવવા માટે ખીજી કોઈ પ્રત મળી નથી તેથી એનાં પાઠાંતર આપી શકાયાં નથી. સ્તવનમાં ભ્રૂણા અ`માગધી શબ્દો આવે છે; તે સમજવા માટે વિવેચન જોવુ. ૨. ભીમશી માણેકના ગ્રંથમાં અહીં ‘સારી' પાડે છે; પણ મને સારી’ને બન્ને સાકારી' પાડે યોગ્ય લાગે છે; એટલે અથને ધ્યાનમાં લઈ મેં સાકારી' પાડે લીધો છે.

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536