Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 458
________________ કર] શ્રી આનંદઘન–વીશી વિવેચન—આપ ધ્રુવપદમાં રમણ કરનારા છે, આપને આત્મા આત્મિક-નિજ ગુણમાં વિલસનારે છે અને આપ મારા શેઠ છે, અને આપને કોઈ વસ્તુની કે પ્રાણી તરફની કામના રહેલી નથી. તેમ આપ અનેક ગુણોના રાજા છે, આપ આત્મિક ગુણના ઇચ્છુક છે. આપને પ્રાપ્ત કરીને પ્રાણ ધ્રુવતામાં રમણ કરે એવા આપે છે. આપણે અગાઉ ધ્રુવતા સંબંધી કેટલુંક વર્ણન કરી ગયા. આત્મા દ્રવ્ય તરીકે સ્થાયી છે, ધ્રુવ છે, નિત્ય છે, એ આત્માની નિત્યતા ખાસ વિચારણીય છે, બહુ અસરકારક છે અને ખાસ આહ્લાદ કરાવે એવી સુંદર વસ્તુ છે. એ ઉપરાંત આપ મારા ધણી છે, આપને પગલે ચાલવું એમાં મારે સ્વાર્થ છે, પરમાર્થ છે અને તે મને અનંત સુખ આપનાર છે. અને આપના ગુણો તે એટલા બધા છે કે તેની વિગત હું કેમ જણાવી શકું? મારાં વચનની તે મર્યાદા છે. અને આપના ગુણેને તે કાંઈ પાર આવે તેમ નથી. જાણવામાં આવે તે પણ આપના સર્વ ગુણે કહી શકાય તેમ નથી, કારણ કે આખા જીવન સુધી તે બોલવામાં આવે તે પણ તે કહી–બતાવી શકાય તેમ નથી. હું આપના ડાક ગુણો વર્ણવું છું. એક તે આપને કોઈ જાતની કામના નથી. આપને નથી ખાવાની કામના કે નથી ધનની કામના, નથી આબરૂની કામના કે નથી પ્રશંસાની કામના; આપ તે અનેક ગુણના રાજા છે, આપનામાં એ અનેક ગુણો છે. અને આપ આત્મિક ગુણની ઈચ્છા રાખનાર છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ અનેક નિજ ગુણો છે તે સર્વને આપ ઈચ્છે છે. આપને પ્રાપ્ત કરીને પ્રાણ આપના જે ધ્રુવ રમણ કરનાર અને અનંત આનંદમાં વિલાસ કરનાર થઈ જાય. આપના મૂળ ગુણો એવા સુંદર છે કે આપ જે પ્રાણીને પ્રાપ્ત થાઓ તે આપની જેમ પ્રાણી આરામમાં અનંતકાળ સુધી રમણ કરે. આપના ગુણે એવા સરસ છે કે એ આકર્ષણ કરનાર ગુણે ચુંબકની જેમ પિતાની તરફ ખેંચે. આપના અનેક ગુણનું જેટલું વર્ણન કરું તેટલું ઓછું છે. અને તે ગુણ મારામાં પ્રચ્છન્નપણે હોવાથી હું તેને પ્રગટ કરવા ઇચ્છું છું અને અનંત આનંદના વિલાસમાં મગ્ન થવા ઈચ્છું છું. આપ ધ્રુવતામાં રમણ કરે છે તે આપને મેળવીને હું તેના પરિણામ તરીકે ધ્રુવતા મેળવું એમ ઈચ્છું છું. (૧) સર્વવ્યાપી કહે સવજાણગપણે પપરિણમન સ્વરૂપ; સુત્ર પર રૂપે કરી તત્ત્વપણું નહિ, સ્વસત્તા ચિરપ સુવ ધ્રુવ રે પાઠાંતર–જાણગ” સ્થાને ભીમશી માણેક “જણુંગ” પાઠ છાપે છે. “સ્વરૂપે ” સ્થાને પ્રતમાં “સરપ” છે. “તત્ત્વપણું ' સ્થાને પ્રતમાં ‘તત્ત્વપણે’ પાઠ છે. (૨). | શબ્દાર્થ–સર્વવ્યાપી = બધી વસ્તુમાં વ્યાપેલ, સર્વ સ્થાનકે વ્યાપી કહે = સ્થાપન કરે, નક્કી કરે, વર્ણવે. સર્વ = કુલ જાણકાર હોવાથી, બધાના જાણપણાથી. પર = પારકા, બીજા, અન્ય. પરિણમન = તે તરીકે પરિણામી થાય, તન્મય થઈ જાય. સ્વરૂપ = રૂપ. પર = અન્ય, બીજી રૂપે = આકારે, સ્વરૂપે. તત્ત્વપૂર્ણ તે રૂ૫, તન્મય, તાત્ત્વિક રૂપ. નહિ = નકારાત્મક, હાય નહિ. સ્વસત્તા = આમિક સત્તા, પિતાની સત્તા. ચિરૂપ = અનંતજ્ઞાન રૂપ. (૨)

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536