Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૭૯
જો કે ધર્મદ્રવ્યની જેમ આકાશના પણ સ્કન્ધ, દેશ અને પ્રદેશ એવા ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં બીજી રીતે પણ બે ભેદ પાડેલા જોવા મળે છે. લોકાકાશ અને અલોકાકાશ. આકાશના જેટલા ભાગમાં ધર્માદિ દ્રવ્યોની સત્તા છે તે પ્રદેશને લોકાકાશ કહેવામાં આવે છે. જ્યારે, જ્યાં ધર્માદિ દ્રવ્યોની સત્તા નથી (અલોક)-માત્ર આકાશ જ આકાશ છે તે પ્રદેશ એટલે અલોકાકાશ. આમ, આકાશનું આ વિવિધ વિભાજન લોકની સીમાને આધારે કરવામાં આવ્યું છે. આકાશના ઉપર્યુક્ત બધા ભેદ કાલ્પનિક કે ઉપાધિજન્ય છે. કારણ કે આ રીતે, આકાશના ઘટાકાશ, મઠાકાશ આદિ અનેક ભેદ પાડી શકાય છે. વાસ્તવમાં, આકાશ પણ ધર્માદિ-દ્રવ્યની જેમ એક અખંડ અસ્તિકાય દ્રવ્ય છે જેને પુદ્ગલની જેમ તોડીને બે ભાગમાં વિભક્ત કરી શકાય નહિ.
અલોકમાં ધર્માદિ દ્રવ્યોનો અભાવ હોવાથી અલોકાકાશમાં આશ્રય પ્રદાન રૂપ આકાશના સામાન્ય લક્ષણનો અભાવ છે એવું કહી શકાય તેમ નથી. કારણ કે આકાશ અલોકમાં પણ આશ્રય દેવા માટે તૈયાર છે. કોઈ દ્રવ્ય, કોઈ કારણે ત્યાં આશ્રય પ્રાપ્ત કરવા ન જાય તો તેમાં આકાશનો શો દોષ? વાસ્તવમાં ધર્મ અને અધર્મ દ્રવ્યનું પ્રતિબંધક હોવાથી જ અલોકાકાશમાં અન્ય દ્રવ્યોની સત્તા નથી. સીમારહિત હોવાને કારણે આકાશને અનંત માનવામાં આવેલ છે. આધુનિક દર્શન-શાસ્ત્રમાં ધર્મ અધર્મ અને આકાશ-આ ત્રણે દ્રવ્યોની શક્તિઓ આકાશમાં જ માનવામાં આવે છે.
૧ જુઓ પૃ. ૫૫. પા. ટિ. ૧. પૃ. ૭૫. પા. ટિ. ૩. ૨ જુઓ પૃ. ૭૪. પા. ટિ. ૧. પૃ. ૫૫. પા. ટિ. ૧. 3 इच्छा हु आगाससमा अणन्तिया ।
–૩. ૯. ૪૮. તથા જુઓ પૃ. પપ. પા. ટિ. ૧. 4 These three functions of subsistence, motion and rest are assigned to space in modern philosophy.
-ભા. દ. રા., પૃ. ૩૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org