Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૪૦૩
બધી અવસ્થાઓમાં બે રૂપો જોવા મળે છે : ૧ પતિતરૂપ તથા ૨ આદર્શરૂપ. બંને અવસ્થાઓમાં નારી પ્રાયઃ પુરુષાધીન રહી છે.
પતિતરૂપ ? સંયમમાંથી પતિત કરવામાં પ્રધાન કારણ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રતના પ્રસંગે સાધુને સ્ત્રીઓના સંપર્કથી સદાય દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ ઉદ્દેશ્યથી ત્યાં સ્ત્રીઓને રાક્ષસી, પંકભૂત, ઉરસ્થળમાં માંસના બે લોચા ધારણ કરનારી તથા અનેક ચિત્તવાળી કહેવામાં આવી છે. તે પ્રથમ પોતાના હાવ-ભાવ દ્વારા પુરુષોને આકર્ષિત કરે છે અને પછી તેમની સાથે ગુલામો જેવો વ્યવહાર કરે છે. પતિ મરી જાય પછી કોઈ કોઈ સ્ત્રી અન્ય દાતાર સાથે ચાલી પણ નીકળતી. ટીકાઓમાં તથા અન્ય જૈન-આગમોમાં નારીના આ પતિતરૂપનાં સંપૂર્ણ વર્ણન મળે છે. નારીનું આ પતિતરૂપ પુરુષોની સામાન્ય મનોવૃત્તિનું પરિણામ છે. જો કે નારી પુરુષાધીન હતી તથાપિ પોતાના હાવ-ભાવો દ્વારા પુરુષોને આકર્ષવાની શક્તિ તેનામાં અધિક હતી. તેથી આ સ્ત્રીઓ પોતાના કૂજિત, રુદિત, ગીત, હાસ્ય, સ્વનિત, ક્રન્દિત, વિલાપ આદિથી યુક્ત વચનો દ્વારા પુરુષોને આકર્ષિત કરતી. સ્ત્રીઓને પ્રાય: ઘરેણાં વહાલાં હતાં. સાધુ તેમાં આસક્ત ન થાય તે માટે સ્ત્રીઓના આ પતિતરૂપને ચિત્રિત કરવામાં આવ્યું છે. બ્રહ્મચર્યવ્રતને બધા વ્રતોમાં દુષ્કર દર્શાવવાથી સ્પષ્ટ છે કે તે સમયે પુરુષોની આસક્તિ સ્ત્રીઓ પ્રત્યે ખૂબ જ હતી અને તેઓ પ્રત્યે આકર્ષાઈને પુરુષો પોતાનો વિવેક ગુમાવતા.
આદર્શરૂપ : આ પ્રકારની સ્ત્રીઓ ઘણી ઓછી હતી. પાતિવ્રત્ય એમનો પ્રમુખ ધર્મ હતો. ગૃહસ્થાવસ્થામાં અનાથી મુનિને જ્યારે અસહ્ય ચક્ષુવેદના થાય છે ત્યારે તેમની પત્ની અત્યન્ત સ્નેહને લીધે પોતાના પતિની જાગ્રત અને
१ तओ तेणज्जिए दब्वे दारे य परिरक्खिए ।
कीलंतिज्ने नरा रायं हहतुट्ठमलंकिया ।
–૩. ૮. ૧૬.
૨ જે. ભા. સ., પૃ. ૨૪૫-૨૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org