Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
સંયમનો પરિચય આપ્યો. અંતમાં પુત્રને રાજ્ય સોંપી જિનદીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત
કર્યો .
૪૮૦
નલકુબર :
લીલા-વિલાસની બાબતમાં પ્રસિદ્ધ દેવ-વિશેષનું નામ છે. પાલિત વણિક :
આ ભગવાન મહાવીરનો શિષ્ય ચંપા નગરમાં રહેતો હતો. એકવાર તે પિઠુંડ નગરમાં વેપાર કરવા ગયો. ત્યાં કોઈ એક શેઠે તેની સાથે પોતાની કન્યા પરણાવી. તેમાંથી તેને થયેલ પુત્રનું નામ ‘સમુદ્રપાલ’ પાડવામાં આવ્યું. પાર્શ્વનાથ :
તેઓ ત્રેવીશમા તીર્થંકર અને ઐતિહાસિક વ્યક્તિ હતા. તેમનો સમય મહાવીર સ્વામીના સમય પહેલાં ૨૫૦ વર્ષનો અને આઠમી સદીનો માનવામાં આવે છે. તેમનો ધર્મ ચતુર્યામ અને સાન્તરોત્તર હતો. તેમના શિષ્ય ‘કેશિ’ પ્રખ્યાત છે.
પ્રભૂતધનસંચય" :
તે કોશામ્બીમાં રહેતો હતો. અનાથી મુનિ તેમના પુત્ર થાય. બ્રહ્મદત્ત ચક્રવર્તી૬ :
તે પાંચાલ દેશનો રાજા હતો. તે ચિત્તમુનિનો પૂર્વભવનો ભાઈ સંભૂત હતો અને પાંચ ભવ સુધી પોતાના ભાઈ ચિત્તની સાથોસાથ જન્મેલો. પૂર્વજન્મમાં નિદાનબંધને કારણે તે છઠ્ઠા ભવમાં પોતાના ભાઈથી વિખૂટો પડ્યો અને
૧ વિદેહદેશમાં બે મિ નામના રાજા થયા. તેમાંથી એક એકવીશમા તીર્થંકર થયા. અને બીજા પ્રત્યેકબુદ્ધ થયા. અહીં જે નમિનો ઉલ્લેખ છે તે પ્રત્યેકબુદ્ધ હતા, તીર્થંકર નહી..
જુઓ - આચાર્ય તુલશી ઉ. ભાગ ૧. પૃ. ૧૦૭.
૨૯. ૨૨. ૪૧
૩૬. ૨૧. ૧-૪.
૪ ૯. ૨૩. ૧, ૧૨, ૨૩, ૨૯.
૫ ૩. ૨૦. ૧૮.
પ્રભુતધનસંચય એ નામ છે કે વિશેષણ તે બાબતમાં મતભેદ છે. જાણવા મળે છે કે તેમના પુત્ર ‘અનાથી’ની જેમ તેમનું નામ પણ પુષ્કળ ધન એકઠું કરવાને કારણે આ રીતનું પડ્યું હોય.
૬ જુઓ - ચિત્ત-સંભૂત સંવાદ, પરિ-૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org