Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi

View full book text
Previous | Next

Page 507
________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૮૩ મહાપદ્મ : તેઓ નવમા ચક્રવર્તી રાજા હતા. તેમણે રાજ્ય છોડી જિનદીક્ષા લીધેલી અને તપશ્ચર્યા કરેલી. મહાબલ રાજા : તેમણે ઉગ્ર તપ કરી મોક્ષ પ્રાપ્ત કરેલો. યશા (વાસિષ્ઠી) : તે ભૃગુપુરોહિતની ધર્મપત્ની હતી. પતિ અને પુત્ર દીક્ષા લીધી પછી તે પણ સાધ્વી બની. વસિષ્ઠ કુળમાં ઉત્પન્ન થવાને કારણે તેને વાસિષ્ઠી પણ કહેવામાં આવે છે. રથનેમિક: તેઓ અરિષ્ટનેમિના નાના ભાઈ અને સમુદ્રવિજયના પુત્ર હતા. તેમના કુળનું નામ અગત્પન હતું. સમય મળતાં તેમણે દીક્ષા લીધી હતી. એક સમયે રાજીમતીને અંધારી ગુફામાં નગ્ન જોઈ તેમણે તેની સાથે કામવિલાસ કરવા પ્રાર્થના કરી. પછી રાજીમતી દ્વારા પ્રબોધિત કરવામાં આવતાં તેઓ સંયમમાં દઢ બન્યા અને મુક્તિ મેળવી. રાજીમતી : એ ભોગરાજ (ઉગ્રસેન)ની સર્વગુણ સંપન્ન કન્યા હતી. અરિષ્ટનેમિ માટે વાસુદેવે તેની યાચના કરેલી. થનાર પતિ અરિષ્ટનેમિ દીક્ષિત થતાં રાજીમતીએ પણ દીક્ષા લઈ લીધી અને સુંદર વાળને પોતાના હાથ વડે ઊખેડી નાંખ્યા. પછી અન્ય સ્ત્રીઓને પણ દીક્ષા આપી. રથનેમિ જેવા તપસ્વી દ્વારા પ્રાર્થિત કરવામાં આવી છતાં તે સંયમમાં દઢ રહી અને રથનેમિને પણ સંયમમાં દઢ કર્યો અને મોક્ષ પ્રાપ્ત કર્યો. તેના દ્વારા પ્રદર્શિત પતિવ્રતાધર્મ તથા બ્રહ્મચર્યવ્રત એક ઉદાત્ત આદર્શ ગણાય છે. ૧ ઉ. ૧૮. ૪૧. ૨ ઉ. ૧૮. પ૧, ૩ ઉ. ૧૪. ૩, ર૯. ૪ જુઓ - રાજીમતી આખ્યાન પરિ ૧, જે. ભા. સં. પૃ. ૫૦૦-૫૦૧. ૫ એજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530