Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi

View full book text
Previous | Next

Page 501
________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૭૭ આપ્યો અને દીક્ષા લીધેલ અરિષ્ટનેમિને વંદન પણ કર્યા. સંભવત: કૃષ્ણાનું ચરિત્ર જૈન-ગ્રંથોમાં સર્વ પ્રથમ અહીં પ્રાપ્ત થાય છે. તેઓ અરિષ્ટનેમિના પિતરાઈ ભાઈ થતા હતા. ફેશિકુમાર શ્રમણ : તેઓ પાર્શ્વનાથના મહાયશસ્વી શિષ્ય (ચોથા પટ્ટધર) હતા. તેઓ શિષ્યો સાથે પ્રામાનુગ્રામ વિહરતા શ્રાવસ્તીના “તિન્દુક' નામના ઉદ્યાનમાં રોકાયા. ત્યાં તેમણે ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ સાથે ધર્મ-ભેદવિષયક શિષ્યોની શંકા દૂર કરવા માટે ચર્ચા કરી તેમને અવધિજ્ઞાન થયેલું. કોશલ રાજા : તેઓ કોશલ દેશના પ્રખ્યાત રાજા હતા. યક્ષદેવતાની પ્રેરણાથી તેમણે પોતાની કન્યા ભદ્રાને હરિકેશિબલ સાથે પરણાવવા ઈચ્છા કરી હતી પણ હરિકેશિબલે તેનો સ્વીકાર ન કર્યો. ક્ષત્રિય મુનિ ? તેમણે રાજપાટ છોડીને જિનદીક્ષા લીધી હતી. સંજય ઋષિ સાથે તેમણે વાર્તાલાપ કર્યો અને તેમાં જિનદીક્ષા લઈ મુક્તિ પ્રાપ્ત કરનાર અનેક ધાર્મિક મહાપુરુષોના દૃષ્ટાંતો આપવામાં આવ્યાં. આત્મારાજીએ તેમને મહાવીર સ્વામીના સમ-સમયવર્તી ગણ્યા છે. ગર્ગાચાર્ય મુનિ : તેમણે અવિનીત શિષ્યોને સમાધિમાં બાધક માની તેમનો ત્યાગ કર્યો અને પોતે પૃથ્વી ઉપર એકલા વિચરવા લાગ્યા. ગર્દભાલી મુનિ : તેઓ ઉગ્ર તપસ્વી હતા. એકવાર તેઓ કાંપિલ્ય નગરના “કેશર' ઉદ્યાનમાં ધર્મધ્યાન કરતા હતા ત્યારે તેમની પાસે આવેલ મૃગોમારનાર રાજાએ તેમની માફી માંગી અને જિનદીક્ષા લીધી. ૧ ઉ. અધ્યયન ર૩ ૩ ઉ. ૧૯-ર૦, ૨૪ ૫ ઉ. ર૭, ૧, ૧૬-૧૭ ૨ ઉ. ૧૨. ૨૦, રર. ૪ એજન ટીકા, પૃ. ૭૪ર ૬ ઉ. ૧૮, ૯, ૧૯, રર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530