SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૭૭ આપ્યો અને દીક્ષા લીધેલ અરિષ્ટનેમિને વંદન પણ કર્યા. સંભવત: કૃષ્ણાનું ચરિત્ર જૈન-ગ્રંથોમાં સર્વ પ્રથમ અહીં પ્રાપ્ત થાય છે. તેઓ અરિષ્ટનેમિના પિતરાઈ ભાઈ થતા હતા. ફેશિકુમાર શ્રમણ : તેઓ પાર્શ્વનાથના મહાયશસ્વી શિષ્ય (ચોથા પટ્ટધર) હતા. તેઓ શિષ્યો સાથે પ્રામાનુગ્રામ વિહરતા શ્રાવસ્તીના “તિન્દુક' નામના ઉદ્યાનમાં રોકાયા. ત્યાં તેમણે ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ સાથે ધર્મ-ભેદવિષયક શિષ્યોની શંકા દૂર કરવા માટે ચર્ચા કરી તેમને અવધિજ્ઞાન થયેલું. કોશલ રાજા : તેઓ કોશલ દેશના પ્રખ્યાત રાજા હતા. યક્ષદેવતાની પ્રેરણાથી તેમણે પોતાની કન્યા ભદ્રાને હરિકેશિબલ સાથે પરણાવવા ઈચ્છા કરી હતી પણ હરિકેશિબલે તેનો સ્વીકાર ન કર્યો. ક્ષત્રિય મુનિ ? તેમણે રાજપાટ છોડીને જિનદીક્ષા લીધી હતી. સંજય ઋષિ સાથે તેમણે વાર્તાલાપ કર્યો અને તેમાં જિનદીક્ષા લઈ મુક્તિ પ્રાપ્ત કરનાર અનેક ધાર્મિક મહાપુરુષોના દૃષ્ટાંતો આપવામાં આવ્યાં. આત્મારાજીએ તેમને મહાવીર સ્વામીના સમ-સમયવર્તી ગણ્યા છે. ગર્ગાચાર્ય મુનિ : તેમણે અવિનીત શિષ્યોને સમાધિમાં બાધક માની તેમનો ત્યાગ કર્યો અને પોતે પૃથ્વી ઉપર એકલા વિચરવા લાગ્યા. ગર્દભાલી મુનિ : તેઓ ઉગ્ર તપસ્વી હતા. એકવાર તેઓ કાંપિલ્ય નગરના “કેશર' ઉદ્યાનમાં ધર્મધ્યાન કરતા હતા ત્યારે તેમની પાસે આવેલ મૃગોમારનાર રાજાએ તેમની માફી માંગી અને જિનદીક્ષા લીધી. ૧ ઉ. અધ્યયન ર૩ ૩ ઉ. ૧૯-ર૦, ૨૪ ૫ ઉ. ર૭, ૧, ૧૬-૧૭ ૨ ઉ. ૧૨. ૨૦, રર. ૪ એજન ટીકા, પૃ. ૭૪ર ૬ ઉ. ૧૮, ૯, ૧૯, રર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy