Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
પરંતુ, વનસ્પતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાઓ પણ હોય છે. આ ઉપરાંત, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, ઔધર્મ અને ઇશાન દેવોમાં તેજોલેશ્યા હોય છે. સનત્કુમારથી માંડી બ્રહ્મ-દેવ સુધીના દેવોમાં પદ્મલેશ્યા હોય છે. લાન્તક દેવોથી માંડી સર્વાર્થસિદ્ધિના દેવોમાં શુકલ-લેશ્યા હોય છે.
આ રીતે આ લેશ્યા-વિષયક વર્ણનથી જાણી શકાય છે કે કઈ લેશ્યાવાળા દેવ ક્યાં રહે છે અને કયા કયા જીવ કયાં કયાં કર્મોથી બદ્ધ છે. વળી, કર્મ અને લેશ્યાઓનો અરસપરસ ઘનિષ્ઠ સંબંધ પણ છે. પુણ્યશાળી કર્મોથી શુભ લેશ્યાઓની પ્રાપ્તિ થાય છે અને પાપી કર્મોથી અશુભ લેશ્યાઓની પ્રાપ્તિ થાય છે. પુણ્ય અને પાપરૂપ કર્મોથી જે શુભ અને અશુભ લેશ્યાઓની પ્રાપ્તિ થાય છે તે અનુસાર જીવ આચાર કરવામાં પ્રવૃત્ત થાય છે. પ્રવૃત્તિ ક૨વાથી કર્મ-બંધ થાય છે અને કર્મ-બંધથી વળી લેશ્યાઓની પ્રાપ્તિ થાય છે. આમ સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. આ ઉપરથી એમ માનવાનું નથી કે આ ચક્રમાંથી જીવ ક્યારેય છૂટકારો મેળવતો નથી; પરંતુ પ્રયત્ન કરવાથી તે આ ચક્રમાંથી છૂટી પણ શકે છે. વસ્તુત: આ લેશ્યાઓ કર્મ-સિદ્ધાંતની પૂર્તિ કરે છે. કર્મો વિનષ્ટ થતાં, લેશ્યાઓનો પણ અભાવ થાય છે. આત્માની સાથે થતી કર્મ-બંધની પ્રક્રિયાને સમજાવવા માટે આ લેશ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી ‘ગોમ્મટસાર'માં લેશ્યાઓનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે ‘જે દ્વારા જીવ પુણ્ય અને પાપરૂપ કર્મોથી લેપાય તે લેશ્યા કહેવાય તથા કષાયોદયથી અનુરક્ત મન, વચન અને કાયાની પ્રવૃત્તિને પણ લેશ્યા કહેવાય. આ રીતે. જેનાથી રંજિત થતાં, શુભાશુભ કર્મ આત્મા સાથે બંધ પ્રાપ્ત કરે એ આચરાને લેશ્યાઓ સમજાવે છે. આ લેશ્યા-વિષયક નિરૂપણને લીધે ભારતીય રંગ-વિષયક દૃષ્ટિકોણ પણ જાણવા મળે છે.
૧૭૨
૧ ૩. ૩૪. ૪૭-૫૫.
२ लिंपइ अप्पीकीरइ एदीए णिय अपुण्ण पुण्णं च ।
તથા જુઓ - ગો. જી.
Jain Education International
૫૩૨.
For Private & Personal Use Only
ો. ની. ૪૮૮.
www.jainelibrary.org