Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
સિવાય શય્યા શબ્દનો પણ પ્રયોગ જોવા મળે છે`. શય્યા શબ્દનો અર્થ : જ્યાં આસન (વિસ્તર) પાથરી શકાય એવું સ્થાન. આચારાંગસૂત્રમાં પણ આ અર્થમાં ‘શય્યા’ નામનું અધ્યયન છે .
નિવાસ યોગ્ય ભૂમિ કેવી હોય ?
પ્રસ્તુત ગ્રંથમાં સાધુના નિવાસને માટેની યોગ્ય ભૂમિ (ઉપાશ્રય) વિષે જે સંકેત મળે છે તે નીચે મુજબ છે ઃ
:
૧ જે રમણીય અને સુસજ્જિત ન હોય : મનને લોભાવનાર ચિત્રોથી સુશોભિત, પુષ્પમાળાઓથી અને અગરચંદનાદિ સુગંધી દ્રવ્યોથી સુવાસિત, સુંદર વસ્ત્રોથી સુસજ્જિત અને સુંદ૨ દરવાજાઓથી શણગારવામાં આવેલ ઉપાશ્રય સાધુના નિવાસ માટે યોગ્ય નથી કારણ કે આવા ઉપાશ્રયમાં રહેવાથી ભોગોમાં આસક્તિ વધે છે અને પછી ઈન્દ્રિયોને કાબુમાં રાખવી મુશ્કેલ બને
છે .
:
૨ જે સ્ત્રી, પશુ વગેરેથી સંકીર્ણ ન હોય ઃ સ્ત્રી, પશુ વગેરેના આવાગમનથી સંકીર્ણ સ્થાનમાં નિવાસ કરવાથી તેમની કામચેષ્ટાઓ જોવા અને સાંભળવા મળે તેથી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવામાં બાધા આવે તેથી સાધુએ સ્ત્રી, પશુ વગેરેના આવાગમનથી રહિત સ્થાનમાં જ રોકાવું જોઈએ .
૧ એજન
૨ આવારા૬; ૨.૧.૨.
3 मणोहरं चित्तघरं मल्लघूवेण वासियं । सकवाडं पंडुरुल्लोयं मणसावि न पत्थए ।। इंदियाणि उ भिक्खुस्स तारिसम्मि उवस्सए । दुक्कराइं निवारेउं कामराग विवड्ढणे ॥
४ फायम्मि अणाबाहे इत्थीहिं अणभिहुए । तत्य संकप्पए वासं भिक्खू परमसंजए ||
તથા જુઓ ઉ. ૩૦. ૨૮.
૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
–૩. ૩૫. ૪-૫.
૧૩. ૩૫. ૭.
www.jainelibrary.org