Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૩૨૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
અહિંસાદિ આ પાંચ નૈતિક વ્રતોને મહાવ્રતના રૂપમાં ઉલ્લેખવામાં આવેલ છે. યોગ દર્શનમાં અહિંસા-વિરોધી હિંસાના કૃત, કારિત અને અનુમોદનાના ભેદને કારણે ત્રણ પ્રકારો પાડવામાં આવેલ છે. તે પછી મૃદુ, મધ્ય અને અધિમાત્રના ભેદથી પ્રત્યેકના વળી ત્રણ-ત્રણ પ્રકારો કરવાથી હિંસાના નવ પ્રકારો પડે છે. આ નવ પ્રકારની હિંસાના પણ તે ક્રોધ, લોભ અને મોહપૂર્વક હોવાથી હિંસાના અનેક ભેદોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ બધા પ્રકારની હિંસાના નિરોધથી અહિંસાના પણ અનેક પ્રકારો પડે છે. “યોગદર્શન'માં, અહિંસાનું તેનો આટલો અધિક વિસ્તાર હોવા છતાં આટલી સૂક્ષ્મતાથી પાલન કરવાનું દર્શાવ્યું નથી જેટલું પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ છે. અહીં એક વાત આ પ્રસંગે વળી એ પણ સ્પષ્ટ કરવા માગું છું કે જેમ “ઉત્તરાધ્યયન'માં સર્વે વ્રતોના મૂળમાં અહિંસાને સ્વીકારવામાં આવેલ છે તેમ “યોગદર્શનમાં ભાષ્યકારે પણ લખ્યું છે કે સત્યાદિ અન્ય સર્વ વ્રત અને નિયમોપનિયમ આ અહિંસાની પુષ્ટિ કરનારા છે.
આ રીતે આ મહાવ્રતોની સાર્વભૌમિકતા ખૂબ જ સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે. જે રીતે તેની સુરક્ષા સંભવે તે રીતે કરવામાં આવેલ આચરણ જ સાધુનો સદાચાર છે. આ પાંચ નૈતિક વ્રતોનું વ્યવહારમાં પણ મહત્ત્વ છે અને તે મહાવ્રતોની ચર્ચા વખતે સ્પષ્ટ કરવામાં આવેલ છે.
१ अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमा: । जातिदेशकाल-समयानवच्छिन्ना : सर्वभौमा महाव्रतम् ।
–.યો. ર-૩૦-૩૧. २ वितर्काहिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वकाः मृदुमध्याधिभात्रा: दु:खाज्ञानान्तफला इति प्रतिपक्षभोवनम् ।
–પાડયો. ૨-૩૪. 3 तत्राहिंसा सर्वथा सर्वदा सर्वभूतानामनभिद्रोह उत्तरे च समनियमास्तन्मूलासात्सिद्धिपरतयैव तत्प्रतिपादनाय प्रतिपाद्यन्ते ।
–આ. યો. (-૩૦) વ્યાસભાષ્ય પૃ. ૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org