Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
અનુશીલન આ પ્રકરણમાં સંસાર સંબંધી ત્રણા પ્રમુખ સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. ૧. સસારની દુઃખરૂપતા ૨. સંસાર અથવા દુઃખનાં કારણ અને ૩. કર્મબંધન. આ ત્રણ સિદ્ધાંતોનું વિશ્લેષણા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરવામાં આવેલ છે અને તે ક્રમશઃ નીચે મુજબ છે:
૧. ભારતીય ધાર્મિક ગ્રંથોની જેમ “ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ જેમાં, જીવ જન્મ-મરણાને પ્રાપ્ત કરે છે એવા સંસારને દુઃખોથી ભરેલો દર્શાવવામાં આવ્યો છે. શરીર નાશવંત હોવાથી તથા ઇચ્છાઓ અનંત હોવાથી આપણને જે સુખ પ્રતીત થાય છે તે ખરેખર તો દુ:ખરૂપ જ છે. દેવ અને મનુષ્ય પર્યાય કે જે સુગતિ રૂપ અને શ્રેષ્ઠ મનાયેલ છે તેને પણ દુર્ગતિરૂપ તરીકે દર્શાવવાનો ઉદ્દેશ્ય એ છે કે જીવોને વિષય-ભોગોમાંથી નિરાસકત કરવા અને અસીમ તથા અનંત સુખ પ્રત્યે પ્રેરિત કરવા. જ્યાં સુધી સાંસારિક વિષયભોગોને દુઃખરૂપ અને નાશવંત તરીકે ન રજુ કરવામાં આવે ત્યાં સુધી તેનાથી વિરક્તિ થાય નહીં. દેવપર્યાયમાં જે દુઃખોનું વર્ણન કરવામાં આવ્યું છે તે એ કારણ કે દેવપર્યાય અને તે દેવિક ભોગ્ય-વિષયો પણા ચિરસ્થાયી નથી. કેટલેક સ્થળે દેવોના એશ્વર્યને શ્રેષ્ઠ ગણાવામાં આવ્યું છે અને તેને શ્રેષ્ઠ ગતિ (સુગતિ) પણ કહેવામાં આવેલ છે. આ સ્થિતિ મનુષ્યગતિના જીવોની પણ છે.
આ વિવેચન પરથી, “પ્રસ્તુત ગ્રંથ અવાસ્તવિકતાનું પ્રતિપાદન કરે છે.” એમ સમજવાનું નથી. આપણે જાતે અનુભવીએ છીએ કે વિષય-ભોગોની સીમા અનંત છે અને ગમે તેટલાં સુખસાધન આપણને મળે છતાં શાંતિ મળતી નથી. શાંતિ અને સુખ તો આપણી અંદર રહેલાં છે. જો આપણી ઇચ્છાઓ સીમિત બને તો આપણને સુખ મળે છે અને એમ ન થાય તો આપણો અધિક પ્રાપ્ત કરવા માટે વ્યગ્રતા અનુભવીએ છીએ. આ વિષયભોગ સુખ કે દુ:ખનાં કારણ બને છે. તેથી ગ્રંથમાં આસક્તિ રાખ્યા વગર વિષય-ભોગોના ઉપભોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org