Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
રત્નત્રય
પોલી મુઠી, ખોટા સિક્કા અને કાચના માિની જેમ સારહીન છે'. જેમ પીધેલું અતિતીવ્ર વિષ, ઉલટું પકડેલ હથિયાર અને અવશીકૃત મંત્રાદિનો પ્રયોગ પોતાને મટે વિધાતક બને છે તે રીતે બનાવટી સાધુ ગળું કાપનાર શત્રુ કરતાં પણ વધારે સ્વયંનું અનિષ્ટ કરી પશ્ચાતાપને પામે છે અને નકાદિ યોનિઓમાં જન્મ-મરણ પ્રાપ્ત કરે છે. તેથી કહેવામાં આવ્યું છે કે સંયમહીન સાધુ કરતાં સંયમી ગૃહસ્થ શ્રેષ્ઠ છે.
આ રીતે ગૃહસ્થના બધા આચાર સાધ્વાચારની પ્રારંભિક અવસ્થા સ્વરૂપ છે. ગૃહસ્થ ગૃહસ્થીમાં રહીને સામાજિક કાર્યો કરીને અહિંસાદિ બધા નિયમોનું સ્થૂળ રીતે પાલન કરે છે અને તેનું સાધુ વિશેષરૂપે (સૂક્ષ્મતાથી) પાલન કરે છે.
અનુશીલન
આ પ્રકરણમાં સંસારના દુઃખોમાંથી નિવૃત્તિ પ્રાપ્ત ક૨વાના અને અવિનશ્વર સુખની પ્રાપ્તિના આધ્યાત્મિકમાર્ગનું વર્ણન કરવામાં આવેલ છે. જે રીતે, કોઈ
१. पुल्लेव मुट्ठी जह से असारे अयंतिए कूडकहावणे वा ।। राढामणी वेरुलियप्पगासे अमहग्धए होइ हु जाणासु ॥
२ विसं तु पीयं जह कालकूडं हणाइ सत्यं जह कुग्गहीयं । एसो वि घम्मो विसओववन्त्रो हणाइ वेयाल इवाविवनो ||
૨૩૯
न तं अरि कंठछित्ता करेइ जं से करे अप्पणिया दुरप्पा | से नाहि मच्चुमुहं तु पत्ते पच्छाणुतावेण दयाविहूणो ॥
3 नाणासीला अगारत्था विसमसीला य भिक्खुणो ॥
संति गेहिं भिक्खूहं गारत्था संजमुत्तरा ॥
Jain Education International
For Private & Personal Use Only
૩. ૨૦. ૪૨.
૧૩. ૨૦. ૪૪.
–૩. ૨૦. ૪૮.
૩. ૫-૧૯.
૧૩. ૫. ૨૦.
www.jainelibrary.org