Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૨૭
આ માટે એ પણ જરૂરી હતું કે દ્રવ્યને કોઈ રીતે નિત્ય અને કોઈ રીતે અનિત્ય તરીકે સ્વીકારવામાં આવે. આ રીતે દ્રવ્યના વિષયમાં પ્રવર્તતા નિત્યાનિત્ય સંબંધી વિવાદોનો સમન્વય કરવામાં આવ્યો. નિત્યતા એ દ્રવ્યનો સ્વભાવસિદ્ધ ધર્મ છે અને અનિત્યતા તેની ઉપાધિ છે. તેથી જ કદાચ, ગ્રંથમાં દ્રવ્યના લક્ષણમાં, સાક્ષાત્ પર્યાયાંશનું ગ્રહણ ન કરતાં, ગુણ્યાંશ માત્રનું ગ્રહણ કરવામાં આવેલ છે તથા, પરવર્તી કાળમાં દ્રવ્યનું સ્વરૂપ નિશ્ચયનય (દ્રવ્યાર્થિક નય)ની અપેક્ષાએ નિત્ય અને વ્યવહારનય (પર્યાયાર્થિક નય)ની અપેક્ષાએ અનિત્ય માનવામાં આવેલ છે'. અહીં એક વાત એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે વેદાન્તદર્શનમાં માનવામાં આવેલી પરમાર્થ-સત્તા અને વ્યવહાર-સત્તાના દૃષ્ટિકોણથી દ્રવ્યના નિત્યાનિત્યત્વનું પ્રતિપાદન ન થઈ શકે કારણ કે વેદાન્તદર્શનમાં પરમાર્થસત્તા યથાર્થભૂત છે અને વ્યવહાર સત્તા અયથાર્થભૂત છે. જ્યારે અહીં તો જેટલો દ્રવ્યાંશ સત્ય છે તેટલો જ પર્યાયાંશ પણ સત્ય છે. પર્યાયો દ્રવ્યની ઉપાધિ છે કે જે પ્રતિક્ષણે પરિવર્તિત થયા કરે છે. તેનું પરિવર્તન થતું રહેતું હોવા છતાં, દ્રવ્યની અક્ષુણ્ણતાને વાંધો આવતો નથી એમ પણ નથી કારણ કે જ્યારે પર્યાયો દ્રવ્યથી સર્વથા પૃથક્ નથી તો પછી પર્યાયોમાં પરિવર્તન થતાં, દ્રવ્યમાં ફૂટસ્થ નિત્યતા ટકી રહે એ કેવી રીતે સંભવે ? છતાં પણ, દ્રવ્યને નિત્ય કહેવામાં આવેલ છે. કારણ કે તેમાંના સત્તારૂપ ગુણનો અભાવ થતો નથી. આ પરિવર્તન થયા કરે છે છતાં, ગુણ્ડોની સત્તાને અક્ષુણ્ણ માનવાને કારણે જ બૌદ્ધોના ક્ષકિવાદની ખામીઓનો પ્રસંગ અહીં ઉપસ્થિત થતો નથી.
આ રીતે, યથાર્થવાદના પાયા ઉપર ઉપર્યુક્ત સિદ્ધાંતોનું પ્રતિપાદન ગ્રન્થમાં કરવામાં આવ્યું છે. આ સંસાર જે આપણને દેખાય છે તે એટલો જ સત્ય છે જેટલો આપણે તેને અનુભવીએ છીએ. આ ઉપરાંત, આ સૃષ્ટિનો સ્રોત ન તો
१. उप्पत्तीव विणासो दव्वस्स य णत्थि अस्थि सम्भावो ।
बिगमुप्पादधुवत्तं करोति तस्सेव पज्जाया ।।
Jain Education International
-પંચાસ્તિાય, ગાયા ૬૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org