Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપ જે વસ્તુ છે તેનું નામ દષ્ટ છે. જે ક્રિયામાં આ દૃષ્ટ નિમિત્ત રૂપ હોય છે તે કિયાને દૃષ્ટિક ક્રિયા કહે છે. આ દષ્ટિકા કિયા અશ્વાદિકનાં ચિત્રને જેવાને માટે ગમન કરવા રૂપ હોય છે.
અથવા “રિટ્રિયા” ની સંસકૃત છાયા “દિશા” લેવામાં આવે તે તેનો અર્થ આ પ્રમાણે થાય છે-“દેખવાથી જે ક્રિયા થાય છે, તેને દષ્ટિના કિયા કહે છે. ”
(૨) પૃષ્ટિક ક્રિયા–પૃષ્ટ એટલે જે પૂછવામાં આવે તે પ્રશ્ન જે ક્રિયામાં તે નિમિત્ત રૂપ હોય છે, તે ક્રિયાને પૃષ્ટિક ક્રિયા કહે છે. જીવદિડાના વિષયમાં અથવા રાગાદિકના વિષયમાં પ્રશ્ન પૂછનારને આ કિયા લાગે છે. અથવા–“સાવદ્ય પ્રશ્નથી જે ક્રિયા ઉત્પન્ન થાય છે, તેને પૃષ્ટિકા ક્રિયા કહે છે. અથવા “પુષ્ક્રિયા ” ની સંસ્કૃત છાયા “g ” પણ થાય તેને અર્થ આ પ્રમાણે થાય છે-“જે ક્રિયામાં સ્પર્શ નિમિત્ત રૂપ હોય છે તે ક્રિયાને ક્યુટિકા કિયા કહે છે.” રાગાદિકને વશવર્તી થઈને સપર્શ કરનાર વ્યક્તિની જે ક્રિયા હોય છે તેને પૃષ્ટિકા કિયા કહે છે. અથવા “ પુણિત્તા દૃષ્ટિના” આ સંસ્કૃત છાયા લેવામાં આવે તે પણ તેનો ઉપર મુજબ જ અર્થ થાય છે.
(૩) પ્રાતીતિકી ક્રિયા–જીવ અજય રૂપ બાહ્ય વસ્તુને પ્રતીત કરીને આશ્રિત કરીને જે કિયા થાય છે, તેને પ્રાતીતિકી ક્રિયા કહે છે.
(૫) સામૉોપનિપાતિકી કિયા–મેરથી આવીને માણસોનું જે સમ્મુિલન થાય છે, તેને “ સામcોપનિપાત ” કહે છે. આ સામનોપનિપાતમાં જે ક્રિયા થાય છે, તેને સામાજોપનિપાતિકી ક્રિયા કહે છે. આવા સમેલનમાં અશ્વ, રથ આદિની જ્યારે પ્રશંસા થાય છે, ત્યારે તે પ્રશંસા સાંભળીને હર્ષિત થતાં અશ્વપતિ, રથપતિ આદિ આ પ્રકારની કિયાવાળા હોય છે.
| (૫સ્વાહસ્તિકી કિયા–પિતાના હાથથી જ જે કિયા થાય છે તેને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. પોતાને હાથે પકડેલા જીવાદિકે દ્વારા જીવને મારવાની જે ક્રિયા થાય છે તેને સ્વસ્તિકી ક્રિયા કહે છે. આ પાંચે ક્રિયાએને નારકેથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવનમાં સદૂભાવ હોય છે. ૩
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪