Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપ હોય છે. નૈગમનયના પ્રથમ ભેદમાં એ ધર્મનું પ્રધાન રૂપે અને ઉપસર્જન રૂપે, ગૌણ રૂપે પ્રતિપાદન થાય છે. જેમકે “ ચૈતન્યામનિ ” “ આત્મમાં સદ્ધિશિષ્ટ ચૈતન્ય છે. ” અહીં ચૈતન્યનુ' વિશેષણ સત્ છે, તેથી સત્ ગૌણરૂપ છે અને ચૈતન્ય ધર્મ પ્રધાનરૂપ છે.
C
એ ધર્મીઓની જે પ્રધાનભાવે અને ઉપસન ભાવે-ગૌણભાવે વિવક્ષા છે, તેને નૈગમનયના બીજા ભેદ રૂપ ગણવામાં આવે છે. જેમકે પર્યાયવાળી વસ્તુ દ્રવ્ય છે ” અહી' વસ્તુ અને દ્રવ્ય, આ એ ધર્મી છે. પરન્તુ પર્યાયવાળી વસ્તુ આ પદ્મ દ્રવ્યના વિશેષણ રૂપ છે, તેથી તે ગૌણુ છે અને દ્રવ્ય વિશેષ હોવાને કારણે તેને પ્રાધાન્ય અપાયું છે.
"
નેગમ નયના ત્રીજા લેમાં ધર્મ અને ધર્મીનું પ્રધાન અને ઉપસર્જન ભાવે ગૌણ રૂપે પ્રતિપાદન કરવામાં આવે છે, જેમકે “ ક્ષળમે સુલી વિષયાસન્નીનઃ ” “ વિષયાસક્ત જીવ એક ક્ષણ જ સુખી રહે છે ” અહીં ધર્મ અને ધર્મીની પ્રધાન અને ગૌણુ રૂપે વિક્ષા થઇ છે. કારણ કે જે વિષયાસક્ત જીવના વિશેષણુ રૂપે સુખીને લેવામાં આવે તે તે વિશેષણ હોવાને કારણે ગૌણ ખની જાય છે અને વિષયાસક્ત રૂપ ધર્મી મુખ્ય બની જાય છે. પરન્તુ વિષયાસક્ત જીવને જ્યારે સુખીનું વિશેષણુ મનાવવામાં આવે છે ત્યારે સુખી પ્રધાન બની જાય છે અને વિષયાસક્ત ગૌણુ બની જાય છે.
શકા—પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે અને સામાન્ય વિશેષને જાણ નારા નૈગમનય છે, તેથી શું આ નય સાધુની જેમ સમ્યગ્દષ્ટિવાળા જ છે ? ઉત્તર—આ નય સામાન્ય વિશેષ રૂપ વસ્તુઓને અત્યન્ત ભેદ રૂપે સ્વીકારે છે કારણ કે તે બન્નેને પરસ્પર સાપેક્ષ માનતેા નથી, તેથી તે સભ્ય ષ્ટિ સાધુની જેમ સમ્યગ્દષ્ટિવાળા નથી,
કહ્યું પણ છે કે “નું સામત્રવિન્નેને ' ઇત્યાદિ—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૩૫