Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રવૃત્તિના નિમિત્તવાળા હોય છે. આ નય એવું પ્રતિપાદન કરે છે કે “ઘટ” અને “કુટ” આ ખનને પદે એક જ અર્થના વાચક નથી, કારણ કે ઘટ નામના પદાર્થમાં ઘટ શબ્દને વ્યવહાર રે જ થઈ શકે છે કે જ્યારે તે ઘટ અર્થ વિશેષ ચેષ્ટાવાળો હોય છે. તેથી ઘટ અર્થ માં “ઘટ શબ્દ ની પ્રવૃત્તિનું નિમિત્તે તેમાં વિશિષ્ટ ચેષ્ટાવત્તા છે. તથા ઘટ અર્થમાં કુટ શબ્દની પ્રવૃત્તિ ત્યારે જ હોઈ શકે છે કે જ્યારે તે ઘટ કુટિલતા સંપન્ન હોય છે. ચેષ્ટાર્થક “ઘ' ધાતુમાંથી “ઘટ” શબ્દ બને છે અને કૌટિલ્યાર્થક “ર” ધાતુમાંથી “કુટ” શબ્દ બને છે. આ રીતે ઘર અને કુટ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તમાં ભેદ હેવાને કારણે તેમના અર્થોમાં પણ ભેદ છે. તે કારણે ઘટ શબ્દનો અર્થ કુટ શબ્દના અર્થ કરતાં ભિન્ન થાય છે.
એવંભૂત નય–જે ક્રિયાથી યુક્ત વસ્તુનું જે શબ્દ દ્વારા કથન થાય છે, તે કિયા કરતી વસ્તુને એવંભૂત કહેવાય છે. આ વસ્તુનું પ્રતિપાદન કરના જે નય છે તેને એવભૂત નય કહે છે. આ નય એવું કહે છે કે જ્યારે
स्था०-७६ ઘટ (ઘ) સ્ત્રીના મસ્તક પર આરોહણ રૂ૫ ચેષ્ટાવાળા હોય છે ત્યારે જ તે ઘટ શબદના વાય રૂપ હોઈ શકે છે. તેથી જે પદને અર્થ હોય, એવા જ અર્થવાળી જે તે વસ્તુ હોય, તે જ તેને એ શબ્દ દ્વારા કહી શકાય છે તે શબ્દને તે વાચ્ય હોઈ શકે છે. તેના વિના તે શબ્દને તે વાચ્ય હોઈ શકતી નથી. આ પ્રકારે જે શબ્દને જે ક્રિયારૂપ અર્થ છે, તે કિયાથી પરિ. ગત સમયમાં જ તે શબ્દનો અર્થ થઈ શકે છે, અન્ય સમયમાં થઈ શકતે નથી. કહ્યું પણ છે કે “પર્વ ર૬ લો ” ઈત્યાદિ
આ પ્રકારના સ્વરૂપવાળો આ સાતમો નય છે.
આ સાતે ન જ્યારે પિતાના વિષયનું કથન કરવામાં નિરપેક્ષ હેય છે–અન્ય નાના વિષયનું ખંડન કરે છે અને પિતાના જ વિષયનું પ્રતિપાદન કરે છે, ત્યારે એકાન્ત પ્રતિપાદક હોવાને કારણે મિથ્યા કહેવાય છે. એટલે સાપેક્ષવાદમાં તે ન સમ્યફ ગણાય છે અને નિરપેક્ષવાદમાં તેમને મિથ્યા ગણવામાં આવે છે.
શંકા–જે નિરપેક્ષાવસ્થામાં આ નાને મિથ્યા કહેવામાં આવ્યા છે, તે સાપેક્ષાવસ્થામાં પણ આ નાને મિથ્યા શા માટે ન કહેવાય ?
ઉત્તર-જૈન સિદ્ધાંતે એ નને એકાન્ત રૂપે મિથ્યારૂપ કહ્યા નથી. આ કારણે નિરપેક્ષાવસ્થામાં મિથ્યારૂપ હોવા છતાં પણ સાપેક્ષાવસ્થામાં તેમને સમ્યકુ રૂપ જ કહા છે. કહ્યું પણ છે કે :
“મિચ્છા પૂણો ઉમદારે” ઈત્યાદિ, છે સૂ. ૧૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૪ ૨