Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગાન્ધાર ગ્રામની સાત મૂઈના
નીચે પ્રમાણે છે—(૧) નન્દી, (૨) ક્ષુદ્રિકા, (૩) પૂરિમા, (૪) શુદ્ધ ગાન્ધારા, (૫) ઉત્તર ગાન્ધારા, (૬) સુષ્ઠુ તરાયામા અને (૭) ઉત્તરાયત્તા કેટિમા,
અહીં પ્રાચીન મુનિએ દ્વારા વ્યાખ્યાત એ ગાથાઓ નીચે પ્રમાણે છે. 44 સન્નાદ્_તિહા ગામો ” ઇત્યાદિ—
મૂનાઓના સમૂહ સહિત ષ િગ્રામ ત્રણ પ્રકારના કહ્યા છે. પ્રત્યેક ગ્રામમાં સાત સાત મૂર્ચ્છનાએ હોય છે. આ રીતે ત્રણે ત્રામેાની કુલ મૂર્ચ્છના ૨૧ થાય છે, એટલે કે સાત સ્વરાના અન્ય અન્ય સ્વરવિશેષાને ઉત્પન્ન કરનારા ગાયકમાં આ ૨૧ મૂર્ચ્છનાઓના સદૂભાવ હોય છે તેમને મૂર્ચ્છના કહેવાનું કારણ એ છે કે જે કર્તા હાય છે તે મૂતિના જેવે થઈને તે મૂચ્છના કરતા હાય છે.
માઁગી આદિ ૨૧ મૂનાઓના સ્વવિશેષનું પૂગત સ્વરપ્રાભૂતમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે સ્વરપ્રાકૃતને આધારે રચાયેલા ભરતાદિ નિર્મિત ગ્રન્થામાંથી આ સ્વર વિશેષેાના વિષયમાં વિશેષ માહિતી મેળવી લેવી.
હવે સૂત્રકાર નીચેના ચાર પ્રશ્નેના ઉત્તર આપે છે(૧) તે સાત સ્વર યાંથી ઉત્પન્ન થાય છે ? (૨) ગેયના (ગીતના ) કયા કયા પ્રકાશ છે? (૩) ગેયના કેટલા કાળપ્રમાણવાળા ઉચ્છવાસ હાય છે ? (૪) ગેયની કેટલી આકૃતિઓ ( આકાર ) હોય છે ?
ષડ્રેજ આદિ જે સાત સ્વા છે, તેઓ નાભિમાંથી ઉત્પન્ન થાય છે. આ ગીત રાઇન ( રુદન ) ના જેવું હૈય છે. જેટલા સમયમાં ૧ વૃત્ત સમાપ્ત થાય છે એટલા જ સમયપ્રમાણ ઉચ્છ્વાસે ગીતમાં થાય છે. ગીતના આકાર ત્રણ હોય છે—આદિમાં (પ્રારંભે ) મૃદુ, મધ્યમાં મહાન્ અને અન્તે મન્દ્ર. આ કથનના ભાવાર્થ એ છે કે જ્યારે ગાયક ગીત ગાય છે ત્યારે મૃદુ ગીત ધ્વનિ વડે તેને પ્રારંભ કરે છે, મધ્યમાં માટે ગીતધ્વનિ કરે છે અને અન્ત તેને મન્દ્રધ્વનિથી સમાપ્ત કરે છે. આ રીતે ગીતના પ્રારંભકાળે સ્વર મૃદુ ડાય છે, મધ્યમાં સ્વર તાર (માટા) હોય છે અને ગીતને અન્તે સ્વર મન્ત્ર હાય છે. આ રીતે અહીં ગીતના આ પ્રમાણે આકાર બતાવવામાં આવ્યા છે--(૧) મૃદુ, (૨) તાર અને (૩) મન્ત્ર સ્વર.
હવે સૂત્રકાર ગીતના હેય, ઉપાદેય આદિનું કથન કરે છે-“ દોરે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
17
૨૪૮