Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 304
________________ આસવ કરનારી જે વિચારધારા હોતી નથી તે વિચારધારાને અનાસકર કહે છે. એવી અનામ્રવકર વિચારધારા પ્રાણાતિપાત આદિ રૂપ આસવથી રહિત હોય છે. તેથી એવી અનામ્રવકર વિચારધારાને અનાસ્રવકર મને વિનય કહે છે. સ્વ અને પરને કષ્ટ પહોંચાડનારી જે વિચારધારા છે તેને ક્ષપિકર વિચાર ધારા કહે છે જે વિચારધારા એવી હોતી નથી તેને અક્ષપિકર કહે છે. તેથી સ્વ અને પરને પીડા પહોંચાડવાથી રહિત એવી વિચારધારા છે તે અક્ષરપકર મને વિનયરૂપ છે અભતાભિસંક્રમણ-જે વિચારધારાવડે પ્રાણીઓનું ઉપમર્દન કરાય છે તે વિચારધારાને ભૂતાભિસંક્રમણ કહે છે. જે વિચારધારામાં એવું ભૂતાભિસંક્રમણ થતું નથી, તે વિચારધારાને અભૂતાભિસંક્રમણ રૂપ મને વિનય કહે છે. પ્રશસ્ત મને વિનયના નીચે પ્રમાણે સાત ભેદ કહ્યા છે (૧) પાપક, (૨) સાવઘ, (૩) સક્રિય, (૪) સોપકલેશ, (૫) આસવકર, (૬) ક્ષપિકર અને ભૂતાભિસંક્રમણ અપ્રશસ્ત મને વિનય અકુશલચિન્તન રૂપ હોય છે. અપાપક મને વિનય આદિ સાત પ્રકારના પ્રશસ્ત મને વિનય કરતા આ સાત અપ્રશસ્ત મને વિનયનું વિપરીત સ્વરૂપ સમજવું. એજ વાત અહીં ટીકા. કારે નીચેના સુત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે-“પૂકિરથાળે ગણિતનાત્ર ચોથઃ” એજ પ્રમાણે વાવિનયના પણ અપ્રશસ્ત અને પ્રશસ્ત નામના બે ભેદ પડે છે. પ્રશસ્ત વાવિનયન નીચે પ્રમાણે સાત ભેદ પડે છે-(૧) અપાપક વાવિનય, (૨) અસાવદ્ય વાગવિનય, (૩) સાવદ્ય વાગવિનય એજ પ્રમાણે પ્રશસ્ત મને વિનયના વાવિનયના પણ પાપક વાવિનય, સાવઘ વાવિનય આદિ સાત ભેદે સમજવા. પ્રશસ્ત કાયવિનયના નીચે પ્રમાણે સાત પ્રકાર પડે છે (૧) આયુક્ત ગમનરૂપ કાયવિનય (ઉપયોગ સહિત ચાલવું તે) (૨) આયુક્ત સ્થાનરૂપ કાયવિનય, (૩) આયુક્ત નિષદરૂપ કાયવિનય, (૪) આયુક્ત વગૂવર્તનરૂપ કાયવિનય, (૫) આયુક્ત ઉલંઘનરૂપ કાયવિનય (૬) આયુક્ત પ્રસંઘનરૂપ કાયવિનય, અને, (૭) આયુક્ત સર્વેન્દ્રિયગજનતા. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૮

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316