Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 307
________________ હોય છે-અન્ય જ્ઞાનથી પરિણત હોતો નથી. સમુદ્દઘાતમાં રહેલ આત્મા, આત્મપ્રદેશની સાથે સંક્ષિણ વેદની વેદનીય આદિ કર્મ પ્રવૃતિઓ કે જેનું કાલાન્તરે વેદન કરવાનું હોય છે તેમને ઉદીરણાકરણ દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં પ્રક્ષિપ્ત કરે છે, તેને લીધે તેમની નિર્જરા થાય છે. સમુદ્રઘાત શબ્દમાં જે બહ વચનને પ્રયોગ થયો છે તે સમદુઘાતની અનેકતાને કારણે થયો છે. વેદના આદિના ભેદથી સમુદ્દઘાતમાં જે સપ્તવિધતા પ્રકટ કરવામાં આવી છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે— વેદના સમુદઘાતકાલાતરે ભેગવવાને જે જે અસાતવેદનીય કામ પુદગલે છે તેમને ઉદીરણકર દ્વારા ઉદયાવલિકામાં ખેંચીને તેમની જે નિર્જર કરવામાં આવે છે, તેનું નામ વેદના સમુદુઘાત છે. સમુદ્દઘાત એટલે નિર્જરા કરવી તે. આત્મા જ્યારે વેદના સમુદ્દઘાતગત હોય છે, ત્યારે તે અસતાવેદનીય કર્મ પુદ્ગલની નિર્જરા કરે છે. વેદનાથી પીડિત એ છવ અનન્તાનના કર્મસ્કાથી વીંટળાયેલા આત્મપ્રદેશને શરીરની બહાર પણ કાઢે છે અને શરીરની બહાર કાઢેલા તે આત્મપ્રદેશે વડે વદન, જઠર આદિના ખાલી સ્થાને અને કર્ણ સ્કન્ધ આદિના અપાન્તરાલેને ભરી દે છે, અને એ પ્રમાણે ભરી દઈને તે આયામ (લંબાઈ) અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણુ ક્ષેત્રને વ્યાપ્ત કરીને અમુહુર્ત પ્રમાણુ કાળમાં તે ઘણાં જ વધારે અસાતાદનીય પુદ્ગલેની નિરા કરી નાખે છે. (૨) કષાય સમુઘાત–પાદિ કાને વશ થઈને જે સમુદુઘાત કરવામાં આવે છે તેને કષાય સમુદ્રઘાત કહે છે. તે કષાય સમુદ્રઘાત કષાય નામના ચારિત્ર મેહનીય કર્મના આશ્રયવાળ હોય છે. જયારે તીવ્ર કષાયના ઉદયથી જીવમાં આકુળતા આવી જાય છે, ત્યારે તીવ્ર કષાયના ઉદયથી આકૂળ થયેલો જીવ પિતાના પ્રદેશોને બહાર કાઢે છે. બહાર કાઢવામાં આવેલા તે પ્રદેશ વડે તે વદન, ઉદર આદિના છિદ્રોને અને કર્ણ સ્કન્ધ આદિના અપાન્તરાલેને ભરી શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૪ ૨૯૧

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316