Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેટલા વચન પથ છે, એટલાં જ નયવાદ છે, અને જેટલા નયવાદ છે. એટલા જ પર સમય (અન્ય મત-અન્ય સંપ્રદા) છે. સાત નમાં પહેલો નય નૈગમનાય છે. નગમની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે– “જે માનેઃ જિનો િરિ તૈમ -ૌજન ઘવ રામઃ ” જે નય મહા સતા સામાન્ય અને વિશેષ દ્વારા પદાર્થને જાણે છે, તે નયનું નામ નકમ અથવા નૈગમ છે. કહ્યું પણ છે કે “જેનારું મારું” ઈત્યાદિ–
અથવા–અર્થબંધમાં જે વિચાર કુશલ હોય છે તેને, અથવા અર્થ આયમાં જે વિચાર થાય છે તેને ગમ કહે છે. અથવા અર્થબોધ કરાવવાના જેના અનેક માર્ગ છે તે “નૈક ગમ” અથવા નૈગમ છે,
કહ્યું પણ છે કે : “ હાથ નિભા વા” ઈત્યાદિ
તે ગામના નીચે પ્રમાણે ત્રણ ભેદ છે –(૧) સ વિશુદ્ધ, (૨) વિશુદ્ધા વિશુદ્ધ, અને (૩) સર્વ વિશુદ્ધ
નિર્વિકલ્પ મહા સત્તારૂપ કેવળ સામાન્યનું જ કથન કરનારો જે નય છે તે સર્વાવિશુદ્ધ નામનો નૈગમ નયને પહેલો ભેદ છે. ગોત્વ આદિ ૩૫ સામાન્ય વિશેષનું પ્રતિપાદન કરનારે જે નય છે તે વિશુદ્ધાવિશુદ્ધ નામને નગમ નયનો બીજો ભેદ છે. કેવળવિશેષનું જ પ્રતિપાદન કરનારો જે નય છે, તેને સર્વ વિશુદ્ધ નામને નૈગમને ત્રીજો ભેદ કહે છે. નિગમનયના બીજા ભેદમાં જે “સામાન્ય વિશેષ” રૂપ શબ્દપ્રયોગ કરવામાં આવ્યા છે તેને “ સામાન્ય અને વિશેષ ” આ રૂપે ગ્રહણ કરવાનો નથી, પરન્ત છે. સામાન્ય રૂપ વિશેષ” આ પ્રકારને તેને અથ ગ્રહણ કરવાનું છે, કારણ કે પરસત્તા અને અપરસત્તાના ભેદથી સામાન્યના બે પ્રકાર પડે છે. તે બને. માંથી પરસત્તા મહાસામાન્ય રૂપ હોય છે અને અપરસત્તા સામાન્ય વિશેષ
થા–૭૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૩૪