Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છહ્મસ્થ કેવલીકે ક્ષેય અશેય પદાર્થોકે વિષયના કથન
વંદ ઠાણારું જીભ નવમાવેot | ઝાળ;” ઈત્ય દિ–
અવધિજ્ઞાન અને મનઃપથવિજ્ઞાનથી રહિત એ છવાસ્થ મુનિ આ પાંચ સ્થાનેને સર્વભાવે, સાક્ષાત્ રૂપે, પ્રત્યક્ષ રૂપે જાણતા નથી. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય, (૩) અ કાશાસ્તિકાય, (૪) અશરીર પ્રતિબદ્ધ છવ અને (૫) પરમાણુ પુલ.
એ જ પાંચ સ્થાનને ઉત્પન્ન જ્ઞાન દર્શનધારી અહંત જિન કેવલી સર્વભાવે-સાક્ષાત્ રૂપે જાણે છે અને દેખે છે. એટલે કે ધર્માસ્તિકાયથી લઈને પરમાણુ પુદ્ગલ પર્યન્તના પાંચે સ્થાને કેવળજ્ઞાની જીવ પ્રત્યક્ષ રૂપે જાણી શકે છે અને દેખી શકે છે અવધિજ્ઞાની અને મન પર્યયજ્ઞાનવાળા જીવને પણ છવસ્થ જ ગણવામાં આવે છે, તેથી તેમને અહીં ગૃહીત કરવાના ન હોવાથી સૂત્રકારે તેમને અહીં વજિત કર્યા છે “અશરીર પ્રતિબદ્ધ એટલે શરીરથી રહિત જીવ. પરમાણુ પુલ કયણુક આદિનું ઉપલક્ષણ છે. તે છઘસ્થ જેમ પરમાણુ પુલને સાક્ષાત્ રૂપે જાણ નથી, એ જ પ્રમાણે તે યણુક આદિને પણ સાક્ષાત રૂપે જાણ નથી. કૃતજ્ઞાનની સહાયતાથી જ જાણે છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે અવધિજ્ઞાની અને મનઃ પધજ્ઞાની છધસ્થ જ છે, છતાં પણ અહીં તેમની વિવસા થઈ નથી કારણ કે તેઓ પરમાણુ પુલને તે સાક્ષાત્ રૂપે જાણે જ છે, ભલે તેઓ ધર્માસ્તિકાય આદિ ચારને સાક્ષાત્ રૂપે જાણતા નથી
શંકા–“સર્વભાવ” આ પદનો અર્થ “સર્વ પર્યાયની અપેક્ષાએ થાય છે, તેથી અવધિજ્ઞાની અને મન:પર્યયજ્ઞાની જે જીવો છે, તેઓ સર્વભાવે, સર્વ પર્યાયની અપેક્ષાએ-પરમાણુ પુલને જાણતા નથી, એવું સિદ્ધ થાય છે. તે પછી છધસ્થ પદ વડે અવધિજ્ઞાની અને મન:પર્યયજ્ઞાનીને પણ ગ્રહણ કરવામાં શું વાંધે છે ?
ઉત્તર–“સમાવેર” આ પદને અર્થ જો “સર્વ પર્યાય રૂપે” માનવામાં આવે, તે અને એ પ્રકારનો અર્થ માનીને જો એવું કહેવામાં આવે કે “અશરીર પ્રતિબદ્ધ જીવને છઘસ્થ સર્વ પર્યાય રૂપે સાક્ષાત જાતે નથી અને સાક્ષાત્ દેખતે નથી,તે તેના દ્વારા એ ભાવ પ્રકટ થાય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
८७