Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બે સાધુઓ કે એક સુખડીઆને ત્યાં પહોંચ્યા, તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મીઠાઈ તૈયાર થઈ ન હતી. વળી ત્યાં વહેરવા આવવાની તે માણસે મનાઈ પણ કરી, તેથી તેઓ ત્યાંથી ચાલતાં થયાં હવે થોડા સમય બાદ પર્યાય છેષ્ઠ સાધુએ લઘુપર્યાયવાળા સાધુને કહ્યું-“હવે પેલા માણસને ત્યાં મીઠાઈ તૈયાર થઈ ગઈ હશે. ચાલે ત્યાં જઈને મીઠાઈ વહેરી આવીએ.” ત્યારે ક્ષુલ્લકે (લઘુ પર્યાયવાળા સાધુએ) કહ્યું “તે માણસે આપણને વહોરવા આવવાની મનાઈ કરી છે, તેથી હું તે ત્યાં નહીં આવું.” ત્યાર બાદ તે બને સાધુ ઉપાશ્રયમાં પાછા ફર્યા. તે ક્ષુલ્લક સાધુએ ગુરુ પાસે એવી વાત કરી કે “આ સાધુ દીન, કરુણુ વચને બેલીને ભિક્ષા માગે છે. ગૃહસ્થ દ્વારા નિષેધ કરાવા છતાં પણ તે તેના ઘરમાં દાખલ થઈ જાય છે. અને એષણા દેષથી દૂષિત થયેલ આહાર ગ્રહણ કરે છે. તે મીઠાં વચને બેલીને દાતાને ખુશ કરીને તેની પાસેથી આહાર ગ્રહણ કરે છે. આ પ્રકારનું છેટું ષારોપણ કરનાર તે સાધુને પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર કહ્યો છે. એટલે કે ભિક્ષાચર્યાથી નિવૃત્ત થઈને જ્યારે તે સુલક સાધુ દોષારોપણ કરવા માટે ગુરુ પાસે આવે છે, ત્યારે તેને લઘુ માસ પ્રાયશ્ચિત્ત લાગે છે, જ્યારે તે ગુરુને કહે છે કે આ સાધુ દીન વચને બોલીને આહારની યાચના કરે છે, ત્યારે તેને મારા ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. અહી પૂર્વોક્ત ક્રમથી પારાંચિક પ્રાયશ્ચિત્ત પર્યન્તના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું કથન થવું જોઈએ. ક્ષુલ્લકને માટે આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત પ્રસ્તા બતાવવાનું કારણ એ છે કે તેણે મૃષાવાદ વિરમણ વ્રતનું ખંડન કર્યું છે. જે તે પર્યાય જયેષ્ઠ સાધુએ મુલક સાધુના કહ્યા અનુસાર ભિક્ષાપ્રાપ્તિ કરી હોય તે તેના દ્વારા પણ મૃષાવાદ વિરમણ વ્રતનો ભંગ કરાવે છે એમ કહી શકાય. કારણ કે ગૃહસ્થ નિષેધ કર્યો હોવા છતાં પણ તે એવું કહે છે કે “ગૃહસ્થ નિષેધ કર્યો ન હતે.” આ રીતે પિતાના આ કથન દ્વારા તે સાધુ તે ગૃહસ્થની વાતને છેટી રીતે રજુ કરે છે. તે કારણે તે સાધુ મૃષાવાદ વિરમણ વ્રતને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૭૫