Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંગ્રહકે સ્થાનોના નિરૂપણ
ઉપરના સૂત્રમાં એનિના સંગ્રહનું પ્રતિપાદન કરવામાં આવ્યું. આ સંગ્રહ પદથી સૂચિત થતાં સંગ્રહસૂત્રનું હવે સૂત્રકાર કથન કરે છે.
“કાયયિ હવાચH of Mતિ વત્ત સંmgri ” ઈત્યાદિ...
આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં સાત સંગ્રહસ્થાન કહ્યાં છે. અહીં આચાર્યોપાધ્યાય પદને અર્થ આચાર્ય રૂપ ઉપાધ્યાય અથવા આચાર્ય અને ઉપાધ્યાય થાય છે. જે આ પદને અર્થ આચાર્ય રૂપ લેવામાં આવે, તે અહીં કર્મધારય સમાસ બને છે. પણ જે આચાર્ય અને ઉપાધ્યાય, આ અર્થ લેવામાં આવે, તો સમાહાર દ્વિદ્દ સમાસ થાય છે. જ્ઞાન દિ કાને અથવા શિષ્યોને જે સંચય છે તેને સંગ્રહ કહે છે. તે સંગ્રહના સાત સ્થાન નીચે પ્રમાણે છે–
(૧) જે આચાર્ય પિતાને ગણમાં ઉચિત રૂપે આજ્ઞાના પ્રયતા (પ્રવર્તક) હોય છે, તેઓ શિષ્યના સમૂદાયની વૃદ્ધિ કરવાનું અને જ્ઞાનાદિન સંગ્રહ કરવાને સમર્થ બને છે. “ હે મુને! તમારે આ પ્રમાણે કરવું જોઈએ,” આ પ્રકારની વિધિ રૂપ આજ્ઞાના પ્રવર્તક અથવા “હે મુનિ ! તમારે આ પ્રમાણે ન કરવું જોઈએ, ” આ પ્રકારની ધારણીના પ્રવર્તક આચાર્ય પિતાના ગણમાં સાધુઓને સમુદાય વધારનારા અને જ્ઞાનની વૃદ્ધિ કરનારા હોય છે. પરંતુ જે આચાર્ય પોતાના ગચ્છમાં આ પ્રકારની આજ્ઞા અને ધારણાના પ્રવર્તક હેતા નથી, તેમના ગણને વિનાશ જ થાય છે.
કહ્યું પણ છે કે “ક િનરિથ સારા” ઈત્યાદિ
જે ગણુમાં સ્મારણ-કઈ કર્તવ્ય બજાવવાનું ભૂલી જનાર શિષ્યને તમે આ કર્યું નહીં-આ કર્તવ્ય બજાવવાનું તમે ભૂલી ગયા,” આ પ્રકા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧૯