Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવા માટે છે કે શરીરના ભેદને કારણે શરીરમાં પણ ભેદ સંભવી શકે છે. આ સૂત્રમાં સિદ્ધ જીને અશરીરી રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. જે સૂ. ૯
એકેન્દ્રિયના ભેદ રૂપ જે વનસ્પતિકાચિક જીવે છે, તેમના સૂક્ષમ અને બાદર નામના બે પ્રકારે છે. તેમાંથી બાદર વનસ્પતિના ૬ ભેદે પડે છે. એ જ વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે.
“દિવા તાજારાણા પvar” ઈત્યાદિ
તુણરૂપ-બાદર ૩૫ જે વનસ્પતિકાયિક છે તેમના નીચે પ્રમાણે છ ભેદ કહો છે –(૧) અઝબીજકરંટક આદિ અબીજ વનસ્પતિકાયિક છે. (૨) મલબીજ-ઉત્પલ કન્ટાદિક મૂલબીજ વનસ્પતિકાયિક છે. (૩) પર્વબીજ-શેરડી વાંસ આદિ પર્વબીજ વનસ્પતિકાયક છે. (૪) સ્કલ્પબીજ–શલ્મકી આદિ. સ્કલ્પ બીજ વનસ્પતિકાયિક છે. (૫) બીજરૂહ-વડ આદિ બીજરૂહ વનસ્પતિકાયિક છે. (૬) સમ્યુમિ -દગ્ધભૂમિમાં બીજના અભાવમાં પણ જે ઉત્પન્ન થઈ જાય છે તેને સમ્મછિમ વનસ્પતિકાયિક કહે છે કે સૂ. ૧૦
જીવોને દુર્લભ પર્યાય વિશેષકા નિરૂપણ
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જીવને કઈ કઈ પર્યાયવિશેની પ્રાપ્તિ દુર્લભ છે. “બ્રા કરવીવાdi” ઈત્યાદિ
સમસ્ત જીવોને માટે આ છ પર્યાયે રૂપ સ્થાનની પ્રાપ્તિ દુર્લભ ગણાય છે–(૧) મનુષ્ય ભવ, (૨) સુકુલમાં જન્મ, (૩) આર્યક્ષેત્રમાં જન્મ, (૪) કેવલી પ્રજ્ઞમ ધર્મનું શ્રવણ, (૫) શ્રત પ્રત્યે શ્રદ્ધા, (૬) શ્રદ્ધાના વિષયભૂત અથવા પ્રતીતિના વિયભૂત અથવા રુચિના વિષયભૂત પદાર્થની કાયા વડે. સારી રીતે સ્પર્શના. મનુષ્યભવની પ્રાપ્તિ સુલભ નથી, એ વાતનું નીચેની ગાથા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છેઃ “નનું પુનરિતિકુમ” ઈત્યાદિ
જેમ અગાધ સમુદ્રમાં પડી ગયેલા રનની ફરીથી પ્રાપ્તિ થવી દુર્લભ ગણાય છે, એ જ પ્રમાણે પ્રાપ્ત થયેલા આ મનુષ્ય જન્મને વ્યર્થ ગુમાવી બેસવાથી ફરી તેની પ્રાપ્તિ થવી ઘણી જ દુર્લભ ગણાય છે. આગિયા અને વિજળીની ચમક જેમ જોત જોતામાં નષ્ટ થઈ જાય છે, તેમ મનુષ્ય જન્મ પણ જોતજોતામાં નષ્ટ થઈ જાય છે.
આયક્ષેત્રમાં જન્મ થ, તે પણ દુર્લભ છે. આ વાત નીચેના સૂત્ર દ્વારા પુષ્ટ કરવામાં આવી છે. “સત્ય જ માનુપ ” ઈત્યાદિ–
કદાચ મનુષ્ય જન્મ મળી જાય, તે પણ આર્યભૂમિમાં જન્મ ધારણ કરવાનું તે આ જીવને માટે ઘણું જ દુર્લભ ગણાય છે, કારણ કે ધર્માચરણ
(2) નg=નિધ્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૨૪