Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અથવા નિંદા કરવાથી જીવ ઉન્માદને પ્રાપ્ત કરે છે. અથવા એવા જીવને ઉન્મત્ત જેવો (પાગલ જેવ) માનવામાં આવે છે. (૨) જે જીવ અઈ તે દ્વારા પ્રરૂપિત શ્રત ચારિત્રરૂપ ધર્મને અવર્ણવાદ કરે છે તે પણ ઉન્માદને પ્રાપ્ત કરે છે. (૩) જે જીવ આચાર્યું કે ઉપાધ્યાયને અવવાદ કરે છે તે પણ ઉન્માદને પ્રાપ્ત કરે છે. (૪) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને અવર્ણવાદ કરનાર જીવ પણ ઉન્માદને પ્રાપ્ત કરે છે. ઉન્માદ મહામિથ્યાત્વ રૂપ હોય છે, તેથી તેને સભાવ એવાં જીવમાં જ રહે છે કે જેઓ અહત આદિને અવર્ણવાદ કરતા હોય છે. અથવા ઉન્માદ શબ્દને અર્થ બકવાટ પણ થાય છે અને તે ચિત્તની અસ્થિરતા રૂપ હોય છે, અહંત આદિની નિંદા કરનાર જી પર શાસન દેવે કુપિત થઈને તેમની આ પ્રકારની દુર્દશા કરી નાખે છે. આ પ્રકારે ઉન્માદના ચાર કારણેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પાંચમાં કારણનું કથન કરે છે યક્ષાવેશ-કઈ પણ કારણે કપાયમાન થયેલા દેવથી અધિષિત થવાને કારણે શરીરમાં દેવને પ્રવેશ થવાને કારણે જીપ ઉન્માદ દશાને પ્રાપ્ત કરે છે, આ વાતનો તે ઘણા લોકોને પ્રત્યક્ષ અનુભવ થતું હોય છે.
(૬) મોહનીય કર્મના ઉદયથી પણ જીવ ઉન્માદ દશા પ્રાપ્ત કરે છે. જીવને જ્યારે વિશિષ્ટાવસ્થામાં મિથ્યાત્વ, વેદ, શોક આદિ રૂપે મોહનીય કર્મને ઉદય થાય છે ત્યારે પણ જીવ ઉન્માદની અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ પ્રકારના ૬ કારણોને લીધે જીવ ઉન્માદની અવસ્થાને પ્રાપ્ત કરે છે, એમ સમજવું. . ૨૮ |
છહ પ્રકારકે પ્રમાદક નિરૂપણ
જ્યાં ઉન્માદ હોય છે ત્યાં પ્રમાદ પણ હોય છે જ. તેથી હવે સૂત્રકાર પ્રમાદના ૬ પ્રકારનું નિરૂપણ કરે છે.
વિ પ્રમાણ પumત્તે ” ઈત્યાદિપ્રમાદના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે–(1) મદ્યપ્રમાદ, (૨) નિદ્રાપ્રમાદ, (૩) વિષય પ્રમાદ, (૪) કષાયપ્રમાદ, (૫) ઘતપ્રમાદ અને (૬) પ્રતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૪ ૨