Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંસારિક જીવકા નિરૂપણ
આગલા સૂત્રમાં જે તારા રૂપ ગ્રહોની વાત કરવામાં આવી છે, તેઓ સંસારમાં જ છે. તેથી હવે સૂત્રકાર સંસારી જીનું કથન કરે છે.
ટીકાઈ–“વિદ્દ સંસારમાઝT” ઈત્યાદિ
સંસાર સમાપન્નક જીવો–સંસારી જીવો ૬ પ્રકારનાં કહ્યાં છે. પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્યન્તના ૬ પ્રકારો અહીં ગ્રહણ કરવા જોઈએ. જે પ્રકાયિક જીવે છે તેઓ ષદ્ર ગતિક (છ ગતિમાં ગમન કરનારા) અને ૧ આગતિક (છ ગતિમાંથી પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થનારા) હોય છે. જેમકે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થયેલો જીવ પૃવીકાયિકમાંથી આવીને પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ શકે છે, અને અપૂકાયિક, વાયુક વિક, તેજસ્કાયિક, વનસ્પતિ કાયિક અને ત્રસકાયિકમાંથી આવીને પણ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ શકે છે. એ જ પૃથ્વીકાયિક જીવ પિતાની પૃથ્વીકાયિક અવસ્થા રૂથ પર્યાયને છોડીને ફરી પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્યન્તના છએ પ્રકારના માં ઉત્પન્ન થઈ શકે છે. એ જ પ્રમાણે અપૂકાયિક જીવને પણ છ ગતિક અને છ આગ તિક સમજવા. એવું જ કથન ત્રસકાયિક પર્યન્તના જી વિષે પણ સમજવું.
નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ, આ જીવોનું જે પરિભ્રમણ થાય છે, તેનું નામ જ સંસાર છે. આ સંસાર જેમણે પ્રાપ્ત કર્યો છે એવાં ને સંસાર સમાપન્નક કહે છે. એટલે કે આ ચાર ગતિમાંની કઈ પણ ગતિમાં રહેલા જીવને અથવા પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વન સ્પતિકાયિક અને ત્રસકાયિક આ છ પ્રકારના જીવોને સંસાર સમાપન્નક કહે છે.
પ્રત્યેક જીવ છ ગતિવાળે અને છ અગતિવાળે હેય છે. એ જ વાત સૂત્રકારે “પુવિદાય છે ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રદર્શિત કરી છે. તેના દ્વારા સૂત્રકારે એ સમજાવ્યું છે કે પૃવિકાયિક જીવ છ નિકામાં ગમનશીલ હોય છે. એટલે કે પૃથ્વિકાયિક પર્યાયને છેડીને તે ફરી પૃથવી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૨૨