Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જબૂદીપ આદિકે યથાબસ્થિત ભાવોંકા નિરૂપણ
તિર્યકમાં જમ્બુદ્વીપ આદિ ક્ષેત્રો આવેલાં છે. તેમાં પર્વત, નદીઓ વગેરેનો સદભાવ છે. આ વિષયને અનુલક્ષીને સૂત્રકાર ૨૪ સૂત્રનું કથન કરે છે--
iી રી મંત્રણ પગરણ રાણઈત્યાદિ–જબૂદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે ભરતક્ષેત્ર આવેલું છે, તે ભરતક્ષેત્રમાં ગંગા નામની મહાનદી વહે છે. તેને પાંચ મહાનદીઓ મળે છે. જેમનાં નામ નીચે પ્રમાણે છે--(૧) યમુના, (૨) સરયૂ, (૩) આદી, (૪) કેશી અને (૫) મહી + ૧ છે
જંબુદ્વિપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે સિંધુ નામની મહાનદી વહે છે. તેને પાંચ મહાનદીઓ મળે છે –-(૧) શતક (૨) વિપાશા (૩) વિતસ્તા, (૪) રાવતી અને (૫) ચન્દ્રભાગ ૨
જબૂઢીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે રસ્તા નામની મહાનદી છે, તેને નીચેની પાંચ મહાનદીઓ મળે છે--(૧) કૃષ્ણ, (૨) મહાકૃષ્ણ, (૩) નીલા, (૪) મહાનાલા અને (૫) મહાતીરા . ૩
જંબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે રક્તાવતી નામની મહાનદી છે તેને જે પાંચ મહાનદીઓ મળે છે તેમના નામ નીચે પ્રમાણે છે–(૧) ઈદ્રા, (૨) ઈન્દ્રસેના, (૩) સુષેણ, (૪) વારિણું અને (૫) મહાભેગા ( ૪ સૂ. ૩૨
ઉપરના સૂત્રમાં ભરતક્ષેત્રમાં આવેલી મહાનદીઓનાં નામ પ્રકટ કરવામાં આવ્યા. હવે સૂત્રકાર એ જ ભરતક્ષેત્રમાં થઈ ગયેલા તીર્થકરોના વિષયમાં કથન કરે છે. “નિરાશા ગુમાવવામ” ઈત્યાદિ–
ભરતક્ષેત્રમેં સ્થિત તીર્થંકરોના નિરૂપણ
પાંચ તીર્થકરેએ પોતાની કુમારાવસ્થામાં જ પ્રવજ્યા લીધી હતી. એટલે કે રાજ્યગાદીએ તેમને અભિષેક થયા પહેલાં જ તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના નામ નીચે પ્રમાણે છે–(૧) વાસુપૂજ્ય, (૨) મલિલનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને (૫) મહાવીર પ્રભુ ! સૂ. ૩૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧ ૩