Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હેવાથી તે વિદ્યાને પણ નિધિરૂપ સમજવી. વિધા જ પુરુષાર્થમાં સાધનરૂપ બને છે. કહ્યું પણ છે કે “વિઘવા રાજpકયા થાત્ ” ઈત્યાદિ–
વિદ્યાને કારણે મનુષ્ય રાજા વડે પણ પૂજાય છે. વિદ્યા વડે માણસ સમસ્ત લેકમાં માનનીય બને છે, કારણ કે વિદ્યા સમસ્ત મનુષ્યને વશ કરવામાં વશીકરણ મંત્રની ગરજ સારે છે. આ પ્રકારને આ ત્રીજે નિધિ સમજે. એ જ પ્રમાણે કેશ અને ધાન્યાગાર રૂપ જે ચોથે. અને પાંચમ નિધિ છે, તેને વિષે પણ સમજવું. એ સૂ ૮
શૌચકે સ્વરૂપના નિરૂપણ
આ પ્રકારના પાંચ નિધિએનું કથન કરવામાં આવ્યું. તેમાંથી પુત્રાદિકને દ્રવ્ય રૂપ નિધિ સમજવા. કુશલાનુષ્ઠાન રૂપ બ્રહ્મચર્યને ભાવરૂપ નિધિ સમજ છે. તેને શૌચ રૂપે પ્રકટ કરવાની અભિલાષાવાળા સૂત્રકાર હવે અન્ય શૌને પ્રકટ કરે છે. રોજ ઉરવિ vo ” ઈત્યાદિ–
ટીકા-શૌચના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(૧) પૃથ્વીશૌય,(૨) અપશૌચ, (૩) તેજશૌચ, (૪) મંત્રશૌચ, અને (૫) બ્રહ્મચર્યશૌચ
શૌચ એટલે શુદ્ધિ. દ્રવ્યની અપેક્ષાએ શૌચના પૃથ્વીશૌચથી લઈને મંત્રશૌચ પર્યન્તના ચાર પ્રકાર સમજવા અને ભાવની અપેક્ષાએ તેને બ્રહ્મચર્યશૌચ નામને એક જ પ્રકાર સમજવો.
માટી દ્વારા શરીરની જે શુદ્ધિ થાય છે તેનું નામ પૃથ્વીશૌચ છે. માટી વડે હાથની શુદ્ધિ કરવી, શરીર પર માટીને લેપ કર આદિ લૌકિક કિયાઓને આ પૃથ્વી શોચ રૂપ કહી શકાય છે. પાણી વડે શરીર આદિની શુદ્ધિ કરવી તેનું નામ અશૌચ છે. પ્રકાશ, અગ્નિ અથવા રાખ વડે શુદ્ધિ કરવી તે તેજ શૌચ છે. માત્ર વડે (શુચિ વિદ્યા વડે) શુદ્ધિ કરવી તેનું નામ મંત્ર શૌચ છે. બ્રહ્મચર્ય આદિ કુશલ અનુષ્ઠાન કરવા તેનું નામ બ્રહ્યશૌચ છે. બ્રહ્મ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૮૫.