Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેનું નામ શ્રોત્રેન્દ્રિય સંયમ છે, એ જ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય, પ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની વિરાધનાને ત્યાગ કરી તેનું નામ અનુક્રમે ચક્ષુરિન્દ્રિય સંયમ, ધ્રાણેનિદ્રય સંયમ, રસનેન્દ્રિય સંયમ અને સ્પર્શેન્દ્રિય સંયમ છે. એ ઈન્દ્રિયોના સંયમથી વિપરીત પાંચ પ્રકારને ઈન્દ્રિય અસંયમ હોય છે. સંયમ અને અસંયમનું આ કથન એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવને આધારે કરવામાં આવ્યું છે. હવે સમસ્ત જેને આધારે સંયમ અને અસંયમનું કથન સૂત્રકાર કરે છે-“સરનામુ” ઈત્યાદિ સમસ્ત પ્રાણની, સમસ્ત ભૂતોની, સમસ્ત જીની અને સમસ્ત સની વિરાધના ન કરનાર છે એકેન્દ્રિય સંયમથી લઈને પંચેન્દ્રિય સંયમ પર્યન્તના પાંચ પ્રકારના સંયમનું પાલન કરનાર ગણાય છે. પ્રાણાદિકેને આ પ્રમાણે અર્થ સમજવો-“બાળ દ્રિ ત્રિ ૨g: ઈત્યાદિ–
ન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને “પ્રાણ” કહે છે. વનસ્પતિકાયિકને “ભૂત” કહે છે, પંચેન્દ્રિયોને “જીવ' કહે છે, તે સિવાયના એકેનિદ્રય જીને “સત્ત્વ” કહે છે. અહીં પૃથ્વીકાયિક સંયમથી લઈને પચેન્દ્રિય સંયમ પર્યન્તના નવ પ્રકારના સંયમ કહ્યા છે. “એકેન્દ્રિય સંયમ આ પદ દ્વારા પૃથ્વીકાયિક સંયમથી લઈને વનસ્પતિકાયિક સંયમ પર્યન્તના પાંચ ભેદ ગ્રહણ થયા છે. આ સિવાયના ચાર ભેદ નીચે પ્રમાણે છે-હીન્દ્રિય સંયમ, ત્રીન્દ્રિય સંયમ, ચતુરિન્દ્રિય સંયમ અને પંચેન્દ્રિય સંયમ. સમસ્ત પ્રાણો, ભૂત, છે અને સરની વિરાધના કરનારે જીવો વડે એકેન્દ્રિય અસંયમથી લઈને પંચેન્દ્રિય અસંયમ પર્યાના પાંચ પ્રકારના અસંયમ સેવાય છે. જે યુ. ૨૦ છે
એકેન્દ્રિયના ભેદરૂય જે વનસ્પતિકાય છે, તેના બાદર વનસ્પતિ રૂપ લેદના પાંચ પ્રકારનું સૂત્રકાર હવે કથન કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૪૧