Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શેધિકારકની પાસે પ્રાયશ્ચિત લેવાને જઈ શકે તેમ નથી, તથા શોષિકારક (પ્રાયશ્ચિત દેનાર મુનિ) પણ પિતાના આશ્રય સ્થાનેથી ત્યાં જઈ શકવાને સમર્થ નથી. ! ૯ !
“મg gp રી” ઈત્યાદિ–આ પ્રકારની પરિસ્થિતિમાં તે તપસ્વી તે શાધિકારની પાસે, ગૂઢાર્થ પદેથી યુક્ત એવો પિતાનો સંદેશ લઈને પિતાના શિષ્યને મળે છે. તે સ દેશ દ્વારા તે શિષ્ય સાથે એવું કહેવરાવે છે કે “હે આર્ય ! હવે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકવાને સમર્થ નથી, તેથી હું આપની પાસે આવી શકું તેમ નથી, પણ હું આપની આજ્ઞાનુસાર પ્રાયશ્ચિત્ત લેવા માગું છું ”. ૧૦ .
“તો વવાવાળુ” ઈત્યાદિ–-ત્યારે તે સંદેશવાહકને મુખે એવું સાંભળીને તે શેધિકારક (ગીતાર્થ સાધુ) શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર વિચાર કરે છે કે આ પ્રકારના અતિચારોનું સેવન કરનારને આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ. તેથી તે ગૂઢાર્થપદેથી યુક્ત કરીને શિષ્યને પ્રાયશ્ચિત વિધિ કહી દે છે, અને તેને એવી આજ્ઞા કરે છે કે તમે જઈને મારા તરફથી તેમને આ પ્રાયશ્ચિત દેજે. ! ૧૧ |
હવે વ્યવહારના ચોથા ભેદ રૂપ ધારણ નું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-“TSજા હિદું” ઈત્યાદિ કેઈ સાધુએ અતિચારથી યુક્ત એવા કઈ સાધુને પોતાના અતિચારોની શુદ્ધિ કરતો જોયો હોય, ત્યારબાદ કયારેક તે ( દેખનાર) સાધુને અથવા જેણે તે પ્રાયશ્ચિત્ત કરેલું છે એવા સાધુને પ્રાયશ્ચિત્ત લેવું પડે એવું કારણ ઉપસ્થિત થયું હોય, તે તે મુનિ એ જ દ્રવ્ય, એ જ કાળ, એજ ક્ષેત્ર એ જ કારણ અને એજ પુરુષ હોય ત્યારે એવું જ પ્રાયશ્ચિત જે કરાવે છે, તો જ તેને આરાધક કહી શકાય છે. ૧૨-૧૩
વૈયાવૃત્ય જે કરનારે જે શિષ્ય હોય છે, અથવા દેશદેશમાં ભ્રમણ કરનારે જે શિષ્ય હોય છે, તે દેશ દેશના વિવિધ પ્રાયશ્ચિત્તોને દેખે છે અને તેમને પિતાના હદયમાં ધારણ કરે છે. આ રીતે પ્રાયશ્ચિત્તના પદેને જુદા જુદા દેરાની પ્રાયશ્ચિત વિધિ અનુસાર પિતાના હદયમાં ધારણ કરવા તેનું નામ ધારણ છે. ૧૪
હવે વ્યવહારને જીત નામને જે પાંચમે ભેદ છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—જે વ્યવહાર બહુશ્રુત સાધુઓ દ્વારા અનેકવાર આચરવામાં આવી ચુક્યા હેય અને અન્ય લેકે દ્વારા તે વ્યવહારનું ખંડન કરવામાં આવ્યું ન હોય, એ પરમ્પરાથી આચરિત થતે જે વ્યવહાર છે તેને જીતવ્યવહાર કહે છે. જે પ્રાયશ્ચિત પરમ્પરાગત વ્યવહારને આધારે આપવામાં આવે છે, પ્રાયશ્ચિત્તને જિતવ્યવહાર જન્ય પ્રાયશ્ચિત્ત કહે છે. આ ૧૫ !
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫.