Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેઓમાં સાસાદન સમ્યગ્દષ્ટિ જીવે ઘણાં જ ઓછાં હોય છે. તેથી સૂત્રકારે અહીં તેમને ઉલ્લેખ કર્યો નથી. સૂત્રકારે “મિચ્છાણિયા રેફા” થી લઈને “રેવં તદેવ” આ સૂત્રપાઠ સુધીના કથન દ્વારા એ જ વાતની પુષ્ટિ કરી છે.
ક્રિયાના કાયિકી આદિ પાંચ ભેદ પણ કહ્યા છે. જે ક્રિયા શરીરમાં અથવા શરીર દ્વારા થાય છે તે કિયાને કાયિકી ક્રિયા કહે છે. તે કિયા હસ્તાદિની પ્રવૃત્તિ રૂપ હોય છે. (૨) આધિકરણિકી ક્રિયા-તેના બે પ્રકાર કહ્યા છે-નિર્વતનાધિકરણ ક્રિયા અને સંજનાધિકરણ કિયા. તલવાર, તેની મૂઠ આદિ બનાવવાની ક્રિયાને નિર્વતનાધિકરણ ક્રિયા કહે છે. તલવાર આદિકેનું અને તેમની મૂઠ આદિનું પરસ્પરમાં જે સાજન કરવા રૂપ કિયા છે તેને સજનાધિકરણ ક્રિયા કહે છે. (૩) પ્રàષિકી ક્રિયા-અન્યના લાભને જોઈને તેના પ્રત્યે દ્વેષ રૂપ પરિણતિ ઉત્પન્ન થાય છે, તેનું નામ મહેષ છે. આ પ્રદ્વેષને કારણે જે ક્રિયા થાય છે તેને પ્રાપ્લેષિકી ક્રિયા કહે છે. “હું તેને મારું ” આ પ્રકારના માનસિક સંકલ્પ રૂપ આ કિયા હોય છે. (૪) પરિ. તાપનિકી ક્ષિા-પરિતાપન એટલે દુખ આ દુઃખરૂપ પરિતાપન વડે જે ક્રિયા થાય છે તેને પરિતાપનિકી ક્રિયા કહે છે. લાકડી, તલવાર આદિના ઘા વડે પીડા કરવા રૂપ આ ક્રિયા હોય છે. (૫) પ્રાણાતિપાત ક્રિયા -ઉચ્છવાસ આદિ પ્રાણને પ્રાણવાળા છમાંથી અલગ કરવા તેનું નામ પ્રાણાતિપાત છે. તે પ્રાણાતિપાત રૂપ જે ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા કહે છે. કાયકીથી લઈને પ્રાણાતિપાત પર્યંતની પાંચે ક્રિયાઓને નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ દંડકના સમસ્ત જેમાં સદ્ભાવ હોય છે.
દષ્ટિક આદિના ભેદથી પણ ક્રિયાઓ પાંચ પ્રકારની કહી છે-દશનનું નામ દુષ્ટ છે અથવા અવલોકનનું નામ દષ્ટ છે. અથવા અવેલેકનનાં વિષય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૭