Book Title: Aapviti
Author(s): Dharmanand Kosambi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 16
________________ આપવીતી પિતાએ અમારા ઘરથી દોઢ બે માઈલ છેટે નવું વર્ષને પદે એક નાળિયેરીઓની વાડી રાખી હતી, એટલે તેઓ દિવસમાં બે વખત ત્યાં જતા. તેમની સાથે હું પણ વાડીએ જવા લાગ્યો. ત્યાંનું મુખ્ય કામ વાંદરાં અને ચોથી નાળિયેરીઓનું રક્ષણ કરવાનું હતું. કુરસદને વખતે કેસનું પાણી વાળવું, કેળો પાવી, વાડીની ભીંત પડી ગઈ હોય ત્યાં દુરસ્ત કરવી, વગેરે કામ ચાલતાં. ધીરે ધીરે હું નાળિયેરી ઉપર ચડતાં શીખ્યો. અને પિતા ન હોય ત્યારે વાડીએ રહેતો. પણ રાત પડે કે મને બીક લાગવા માંડે. અને ઘેર આવતી વખતે તાડી કાઢનારા ભંડારીઓની સાથે મારે આવવું પડતું. આ સોબતના છાંટા મારા પર ઊડ્યા વગર રહ્યા નહિ. આનો અર્થ હું તાડી પીવા મંડયો અથવા તો બીજે કંઈ દુરાચાર કરવા મંડ્યો એમ નહિ, પણ તેમની એકબીજા સાથેની અતિશય બીભત્સ વાતચીતથી મારા મન ઉપર કુસંસ્કાર પડવા લાગ્યા અને તેથી મારા મનમાં ખરાબ વિચારે ઘેળાવા લાગ્યા. ઘરના લોકોના દાબને લીધે મારે હાથે શારીરિક દેષ ન થયા પણ માનસિક દેષો તે થયા જ; અને તેનાં ઝેરી પરિણામ મારે આજ સુધી ભોગવવાં પડે છે. ઈ. સ. ૧૮૯૧ની આખરે કે ૧૮૯૨ની શરૂઆતમાં ધીમે ધીમે મને વાંચવાનો શોખ લાગ્યો. આમાં કોઈની કશી ખાસ પ્રેરણું નહોતી. મારું મન એની મેળે જ વાચન તરફ વળ્યું. “આરબી ભાષેતલ સુરસ. 1 ચમત્કારિક ગષ્ટી” નામનું પુસ્તક મેં પહેલું વાંચવા માંડયું. આ પછી થોડેક જ વખતે રામચંદ્ર પાંડુરંગ વૈદ્યનું “પ ધ” માસિક મારા હાથમાં આવ્યું. તેમાં પ્રગટ થયેલી “ગુપ્તરંગ'ની કવિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 318