________________
પ્રાચીન ભારતમાં વાદ / ૧૩ એમ માનતા હતા કે પુય કે પાપ જેવું કશું નથી. એ એમ કહેતા કે કેઈએ પ્રાણુને વધ કર્યો હોય, ચોરી કરી હેય, ધાડ પાડી હાય, જૂઠું બે હોય કે વ્યભિચાર કર્યો હોય, તે પણ તેને પાપ લાગતું નથી. પવિત્ર મનાતી ગંગા નદીના દક્ષિણ કિનારે કોઈ મારામારી કરે કે બીજાને ત્રાસ આપે તે પણ તેને પાપ લાગતું નથી અને ગંગા નદીના ઉત્તર કિનારે જઈ દાન આપે, યજ્ઞ કરે, સત્ય બેલે, ત૫ કરે છે તેથી તેને પુણ્ય પ્રાપ્ત થતું નથી. પોતે કંઈ પણ કરે કે કરાવે તેથી પાપ કે પુણ્ય કશું થતું નથી.
પૂરણ કામ્પયને આ મત અક્રિયાવાદ તરીકે અથવા અકારકવાદ તરીકે ઓળખાય છે.
પકુપ કયાયન એમ માનતા હતા કે આ સૃષ્ટિ પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સુખ, દુઃખ અને જીવ એ સાત પદાર્થોની બનેલી છે. આ પદાર્થોને કોઈપણ કારણથી કયારેય વિનાશ થતું નથી. આ પદાર્થ હાલતા નથી, બદલાતા નથી, એક બીજાને સુખ કે દુઃખ આપી શકતા નથી. એ પદાર્થો કોઈના નિર્માણ કરેલા કે દર્શાવેલા નથી. એ પદાર્થો વંધ્ય, કૂટસ્થ અને નગરદ્વારના સ્તંભની જેમ અચલ છે. એટલે એ પદાર્થોને મારનાર, મરાવનાર, કહેનાર, સાંભળનાર, જાણનાર કે વર્ણન કરનાર કેઈ નથી. કેઈ માણસ તીક્ષ્ણ શસ્ત્ર વડે કાઈનું માથું કાપે તેથી તે તેને જીવ લે છે એમ ન કહી શકાય, કારણ કે એ તીણ શસ્ત્ર માત્ર એ સાત પદાર્થ વચ્ચે રહેલા અવકાશમાં પ્રવેશ કર્યો છે એમ કહી શકાય. પકુધ કરયાયનના આ વાદને અ ન્યવાદ અથવા અનેકયવાદ કહેવામાં આવે છે.
અજિત કેશકુંબલી ભૂતવાદને પુરસ્કર્તા હતા. તે એમ કહે કે કે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર ધાતુ અથવા ભૂતને મનુષ્ય બને છે. જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે પૃથ્વી ધાતુ પૃથ્વીમાં, પાણી પાણીમાં, તેજ તેજમાં અને વાયુ વાયુમાં ભળી જાય છે અને ઇન્ડિયા આકાશમાં જાય છે. મરેલા માણસને ચાર પુરુષે ઠાઠડીમાં નાખી સ્મશાનમાં