________________
૧૨ | પડિલેહા અને જગતની ઉત્પત્તિ માનનાર અધિરિયસમુપ્પનિકોમાં બે જુદા જુદા વાદ હતા. મૃત્યુ બાદ આત્મા કઈ દશા પામે છે એ વિશે જુદે જુદે મત ધરાવનાર ઉમાધનિકમાં ૩૨ જુદા જુદા વાદે હતા. મૃત્યુ બાદ આત્મા નાશ પામે છે એમ માનનારા ઉઠેદવાદીઓમાં સાત જુદા જુદા વાદ હતા. ઈન્દ્રિયનું સુખ ભોગવતાં આ જન્મમાં જ આત્મા નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે એમ માનનારા દષ્ટધર્મનિર્વાણવાદીઓમાં પાંચ જુદા જુદા વાદે હતા.
બૌદ્ધધર્મ કર્મ અને પુનર્જન્મમાં માને છે અને છતાં આત્મામાં માનો નથી. અનાત્મવાદ, ક્ષણભંગવાદ, શુન્યવાદ, એ બૌદ્ધ ધર્મની વિશિષ્ટ વિચારસરણી છે. બૌદ્ધ ધર્મ એમ માને છે કે આત્મા નામને કઈ પદાર્થ સ્વભાવતઃ નથી. આત્માનું સ્વતંત્ર કઈ અસ્તિત્વ નથી. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન એ પાંચ ધર્મો અથવા સર્કને સમુદાય છે. જેમ રથ નામને કઈ સ્વતંત્ર પદાર્થ નથી, પરંતુ રથગા-રથના જુદા જુદા ભાગેને સમુદાય થાય છે ત્યારે રથ નામની આકૃતિ થાય છે. તેવી રીતે માત્ર પાંચ કોને સમુદાય થાય છે. બીજો દર્શને જેને આત્મા કહે છે તેવા નિત્ય આત્મામાં બૌદ્ધ ધર્મ માનતો નથી. આ પાંચ સ્કંધ ક્ષણિક , દુઃખકારક છે અને અનાત્મ છે. આ બૌદ્ધ ધર્મને અનાત્મવાદ છે. પ્રતીત્યસમુત્પાદવાદ, ક્ષણભંગવાદ, શુન્યવાદ, સર્વાસ્તિવાદ, વિજ્ઞાનવાદ, સત્રાતિકવાદ, ચૈત્યવાદ, ગોકુલકવાદ, વિભજિયવાદ, એવા અઢાર જુદા જુદા વાદે બૌદ્ધ દર્શને માં જોવા
| શ્રમણ પરંપરામાં ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ બે મમ્હા-વિભૂતિઓ ઉપરાંત નીચેના પાંચ શ્રમણ આચાર્યો પોતપોતાના વાદ માટે પ્રાચીન ભારતમાં સુપ્રસિદ્ધ હતાઃ (૧) પુરણ કાશ્યપ (૨) પકુધ કરચાયન (૩) અજિત કેશકુંબલી, (૪) સંજય બેલડીપુત્ર અને (૫) મખલિ ગોશાલક.
ભગવાન બુદ્ધને સમકાલીન પૂરણ કાશ્યપ નામને નગ્ન તપસ્વી