Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 15
________________ વર્તવામાં ન આવે તે, એજ ગુણ દોષ રૂપ થઈ પડે છે. ભાવી સંકટની આગળથી કલ્પના કરીને ઘણું માણસો પિતાના મનને સંતાપ કરે છે. એટલું જ નહિં, પણ જે સંકટ કદી આવવાનાં નથી, તેમના ભયની કલ્પના વડે તેઓ મનને વ્યગ્ર, કરી દે છે. અગમચેતીના ગુણેને દુરૂપયોગ કરી ડગલે ડગલે અનિષ્ટ કલ્પના કર્યા કરવી, એ મનુષ્યની સ્થિતિ ખરેખર દયાપાત્ર છે. ૨૭ અતિશય મદ્યપાન અને વિષય લંપટપણાથી તંદુ રસ્તીને નાશ થાય છે, અને આયુષ્ય ટૂંકું થાય છે. ૨૮ આળસ, જુગાર અને કુછંદ એ સુખ સંપત્તિને નાશ કરે છે, * ૨૯ દુષ્ટ સ્વભાવ, સ્વાર્થ પરાયણતા અને ઈર્ષા, એ મિત્રતાને ભંગ કરે છે, તથા વિરેાધ અને અભાવ ઉત્પન્ન કરે છે. ૩૦ છળ કપટ, દગલબાજી, જોર જુલમ અને બળાત્કારના માગ ગ્રહણ કરવાથી, તેમજ અન્યના હકની અવગણના કરવાથી, કાયદા કે લોકમત મારફતે શિક્ષા મળ્યા સિવાય રહેતી નથી. ૩૧ સદાચરણને માર્ગ સુખની પ્રાપ્તિ કરાવી આપે છે, અને દુરાચાર પરિણામે દુઃખને ભેટો કરાવે છે. ૩૧ નિરૂઘમી અને આળસમાં ફેગટ ગુમાવેલું જીવન, જાતે નિરસ અને કંટાળા ભરેલું થઈ પડે છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 194