________________
૧૪૩
૬૮ સુખ દુઃખ એ પૂર્વ ક્રિયાને અનુસારે થાય છે, એ
વાત સ્વાનુભવ સિદધ છે. તે ગર્ભમાં આવ્યું તે કઈ ક્રિયાથી? તે ક્રિયાને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંને માનજ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાંને
જે જન્મ, તેજ આત્માને પુનર્જન્મ. ૬૯ આ જ , આ મરી ગયો. આ આવ્યું તે કયાંથી?
અને ગમે તે કયાં ગયે? આ ગતિ આગતિ પુન
જન્મને જ સુચવે છે. ૭૦ કાર્ય કારણુને વિચાર કરતાં કારણ પહેલું સંભવે છે.
તે આ માનવદેહરૂપ કાર્ય તેનું કારણ આ દેહ
ઉત્પત્તિ પહેલાંજ માનવું પડશે. એજ પુનર્જન્મ.. ૭૧ સર્વે, સુખીયાં શા માટે નથી? સવે દુખીયાં કેમ
થતાં નથી ? રંક શા માટે થાય છે? આનું કાંઈપણ
કારણ સમજાવશે? આજ પુનર્જન્મ. ૭૨ પર્યાયે અનિત્ય છે, તેમાં જરાપણ વિશ્વાસ કરવા
જેવું નથી. સંગે વિયેગશીળ છે. સંપદા અંતે વિપદારૂપ થાય છે. વાર્થ એ મનુષ્યમાં મુખ્ય
દુર્ગુણ છે. પરમાર્થ સિદ્ધ કરવો તે ઉત્તમ સદ્ગુણ છે. ૭૩ ઓ અમર ધર્મવાળા આત્મા! મરણ ધર્મવાળા શ૧
૨માં શા માટે આશકિત કરે છે? આ દેહને અવશ્ય ત્યાગ કરવોજ પડશે, જરૂર બીજે જ પડશે. આ ઘરની આટલી બધી ચિંતા શા મ ]. કરે છે? આ ઘરના નાશથી તારે નાશ થવાનેજ