________________
૧૪૮
થયેલે દુઃખને અનુભવ આપણને ભવિષ્યમાં તેવી
થતી ભૂલે અટકાવવા વિશેષ ઉપયોગી થઈ પડે છે ૯૧ દુઃખના અનુભવ દ્વારા છેવટે આત્મસાક્ષાત્કાર પણ થાય
છે એટલે દુઃખથી અસંતુષ્ટ તે થવું જ નહિ દુઃખ માત્ર કર્માનુસાર હોવાથી જેટલું ભેગવાય તેટલું તે ઓછું થાય છે, દુઃખની સાથે અથડાતાં સહન શક્તિનું વીર્ય વૃદ્ધિ પામે છે. દુઃખ મનુષ્યને મહાન ગુરૂ છે. તે દ્વારા વિચાર ખુલે છે, સત્ય શોધાય છે,
અને દોષ દૂર કરાય છે. ૯૨ આત્માના છેવટના સ્થાયી સુખની પ્રાપ્તિને સંભવ
દઢ કરે હોય તે તાત્કાલીક ફળ પ્રાપ્તિની ઈચ્છા ઘટાડવી જોઈએ. જે કાંઈ પ્રાપ્તવ્ય છે તેને માટે તેના પ્રમાણમાં કાંઈ ને કાંઈ ભેગ આપવું પડે છે. પ્રયત્ન
સિવાય ફળની આશા વ્યર્થ છે. ૯૩ થેગીક જીવનનું દુર્ઘટમાં દુર્ઘટ પ્રોજન એ છે કે
તેણે સર્વદા સમતા જાળવી રાખવી. ગમે તેવા પ્રસંગે પણ સાધકેએ તે (શરૂઆત કરનારાઓએ) શમતા અને શાંતિજ રાખવી એગ્ય છે. શુદ્ધ અંત:કરણ
સદા નિર્ભય છે અને સર્વત્ર વિજયીજ નીવડે છે. ૯૪ સત્ય માર્ગથી ભ્રષ્ટ થયેલા જનસમુહને, દેખી તે તરફ
દયાની લાગણી, અને તેને સુધારવાની દાઝ હૃદયમાં રાખવી જોઈએ તેને બદલે કે, કંટાળે, કે કલેશ ઈત્યાદિ કરવું તે તે અયોગ્ય છે. એવી દુષ્ટ ભાવનાથી