SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ થયેલે દુઃખને અનુભવ આપણને ભવિષ્યમાં તેવી થતી ભૂલે અટકાવવા વિશેષ ઉપયોગી થઈ પડે છે ૯૧ દુઃખના અનુભવ દ્વારા છેવટે આત્મસાક્ષાત્કાર પણ થાય છે એટલે દુઃખથી અસંતુષ્ટ તે થવું જ નહિ દુઃખ માત્ર કર્માનુસાર હોવાથી જેટલું ભેગવાય તેટલું તે ઓછું થાય છે, દુઃખની સાથે અથડાતાં સહન શક્તિનું વીર્ય વૃદ્ધિ પામે છે. દુઃખ મનુષ્યને મહાન ગુરૂ છે. તે દ્વારા વિચાર ખુલે છે, સત્ય શોધાય છે, અને દોષ દૂર કરાય છે. ૯૨ આત્માના છેવટના સ્થાયી સુખની પ્રાપ્તિને સંભવ દઢ કરે હોય તે તાત્કાલીક ફળ પ્રાપ્તિની ઈચ્છા ઘટાડવી જોઈએ. જે કાંઈ પ્રાપ્તવ્ય છે તેને માટે તેના પ્રમાણમાં કાંઈ ને કાંઈ ભેગ આપવું પડે છે. પ્રયત્ન સિવાય ફળની આશા વ્યર્થ છે. ૯૩ થેગીક જીવનનું દુર્ઘટમાં દુર્ઘટ પ્રોજન એ છે કે તેણે સર્વદા સમતા જાળવી રાખવી. ગમે તેવા પ્રસંગે પણ સાધકેએ તે (શરૂઆત કરનારાઓએ) શમતા અને શાંતિજ રાખવી એગ્ય છે. શુદ્ધ અંત:કરણ સદા નિર્ભય છે અને સર્વત્ર વિજયીજ નીવડે છે. ૯૪ સત્ય માર્ગથી ભ્રષ્ટ થયેલા જનસમુહને, દેખી તે તરફ દયાની લાગણી, અને તેને સુધારવાની દાઝ હૃદયમાં રાખવી જોઈએ તેને બદલે કે, કંટાળે, કે કલેશ ઈત્યાદિ કરવું તે તે અયોગ્ય છે. એવી દુષ્ટ ભાવનાથી
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy