Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૨ દુઃખની માતા છે. ૬૩ આત્માને શરીર તથા મન ઉપર અંકુશ ન રહે એજ પરમ દુઃખનું કારણ છે. જેના ઉપર જન્મ મરણ અસર નથી કરી શકતાં ત્યાં જ ખરેખર સુખ રહેલું છે. એટલે મે તેટલું જ દુઃખ, એટલે હર્ષ તેટલેજ શેક. ૬૪ આ મહાન્ દુઃખનું કારણ કેવી જાતનું અજ્ઞાન હોવું જોઈએ? ગમે ત્યાં ભરાઈ બેસો. કર્મોનું ફળ અવશ્ય મળશેજ. કાયમ કર્મો કરતાં અટકવું જ જોઈએ. ૬૫ એક વસ્તુને ત્યાગ કરી, તેના અભાવમાં તેને બદલે તેના જેટલા પ્રેમથી બીજી વસ્તુનું સેવન થતું હોય, તે તે ત્યાગ નથી, પણ રૂપાંતર છે. ત્યાગે એ. હેવો જોઈએ કે રૂપાંતરની આગ્રહપૂર્વક મદદ સિવાય ચલાવી લેવું જોઈએ. દરેક વસ્તુને ઉપયોગ સાધન રૂપે કરવું જોઈએ વસ્તુનું ખરું સ્વરૂપ જાણ્યા કે સમજાયા છતાં કદાગ્રહ કે આગ્રહ કરે તે અનંતાનુબંધી કહેવાય છે. ક્રોધાદિ ઘટાડવામાંજ લાભ છે. જેમ કષાય ઓછા તેમ આવરણ ઓછું જ થવાનું. ૬૭ કઈ પણ વસ્તુને સર્વથા નાશ થતો નથી. પણ પર્યાય બદલાય છે. પુદગલની આકૃતિ બદલાય છે, પણ તેના પરમાણું તે જગતમાં કાયમ રહે છે. આ રૂપાંતર થવું તેજ દરેક વસ્તુને પુનર્જન્મ છે.

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194