________________
૧૩૪
આત્મા ઉપરજ લક્ષ આપો. આત્મા સ્વરૂપે શુદધ છે. છતાં જે જે ઉપાધિદ્વારા મલીન દેખાય છે તે તે સર્વ ઉપાધિ દેષથી દુષીત ભાગ છે એમ માને. આમ કરવાથી શ્રેષદષ્ટિ દૂર થશે, અને ગુણદષ્ટિ
પ્રગટ થશે. ૨૩ મદદ આપવાની ઈચ્છાથી તમે જેને સારામાં સારા
વિચાર સંભળાવે છે. અને ઉત્તમ ક્રિયા માર્ગમાં પ્રેરે છે છતાં તે જ્યારે તેને રૂચતી નથી ત્યારે તે ગ્રહણ કરવાની તેમની યેગ્યતા નથી એમ નિશ્ચય કરે. અને તેમની લાયકાતાનુસાર ઉપદેશ આપે અથવા માર્ગ બતાવે. મેગ્યતાથી વિશેષ ન આપે. અને વિશેષ સંભળાવે પણ નહિ. તેમ કરવામાં નહિ આવે તે ઉલટું લાભને બદલે તેમને નુકસાન થશે.
યોગ્યતા તપાસવાની ઉપદેશકોને પૂર્ણ જરૂર છે. ૨૪ આપણે વિચારેજ આપણને વિચાર જેવા બનાવે
છે. પાપના વિચારે આપણને પાપી બનાવે છે. ધર્મને વિચાર આપણને ધમી બનાવે છે. તેથી
પ્રથમ વિચારોને શુદ્ધ કરે. ૨૫ હજારે કાર્ય પડતાં મૂકે, પણ આખા દિવસમાં એક
પણ ખરાબ વિચાર ન આવે તેવી સ્થિતિ તમે મેળવો. ૨૬ સવારમાં ચાર વાગે ઉઠે. કઈ પણ ના શબ્દ ન
સંભળાય ત્યાં પદ્માસન કરીને બેસે. શરીરને બીલકુલ હલાવે નહિ; મનને એકાગ્રતા કરવા આંખોને