________________
થઈ શકશે, તેથી શાદી કરેલી. આ તો દરેક અવતારમાં સ્ત્રી અને પુરુષ, જાનવરમાં, દેવોમાં, મનુષ્યમાંય, તોય આ લગ્નનો મોહ છૂટતો નથી, એ જ માયાને !
લગ્ન વખતે એમને પોતાને આ દુનિયા ઉપર જબરજસ્ત વૈરાગ્ય આવી ગયો હતો. છતાં ભરેલો માલ, તે પરણવું પડેલું. પરણવાનો માલ ભર્યો હતો તેથી હિસાબ આવ્યો, નહીં તો સાધુ-બાવા થાત તો એય ભરેલો માલ, એય એક જાતનો મોહ જ છે ! લગ્ન એય મોહ જ છે. દાદાશ્રી કહે છે, અમે લગ્ન એ મોહ પસંદ કરેલો. સંસારમાં રહીને ટેસ્ટ એક્ઝામિનેશન પાસ કરાય ને ! પેલું બાવા થવું એ તો કસરતશાળામાં મનને મજબૂત કરવા જવાનું અને પાછુ અહીં તો આવવું જ પડે !
જન્મથી મરણ સુધીની ક્રિયા બધી ફરજિયાત છે, પ્રકૃતિના નચાવ્યા નાચવાનું. લગ્ન એય ફરજિયાત છે. બાકી ધણીમાંય કલ્પિત સુખ છે ને સાચું સુખ, સનાતન સુખ આત્મામાં છે. એ આવ્યા પછી ક્યારેય જાય નહીં.
દાદાશ્રી કહે છે, લગ્નના પ્રસંગો-વ્યવહારના પ્રસંગો તમેય પતાવો છો ને હુયે પતાવું છું. તમે તન્મયાકાર રહીને પતાવો છો ને હું એનાથી જુદો રહીને પતાવું છું. સીટ બદલવાની જ જરૂર છે ! આ તો પોતાનો મોહ તન્મયાકાર કરે છે. બાકી જે તન્મયાકાર નથી રહેતા ને, તે સંસારને વધુ ઉપકારી છે, સ્વ-પર ઉપકારી છે !
[૧.૩] બુદ્ધિના આશયમાં હીરાબા નાનપણથી જ વૈરાગ્ય ભારે હતો છતાં પરણવાનું કેમ ઉદયમાં આવ્યું ? એને માટે દાદાશ્રી કહે છે કે “અમે પહેલા કોઈ અવતારમાં ભાવના કરેલી, બુદ્ધિના આશયમાં લાવેલા કે વાઈફ આવી હોવી જોઈએ. મારા સામા ના થાય, મને મુશ્કેલીમાં ના મૂકે.” કુદરતનો નિયમ છે કે પોતાની પુણ્ય વપરાઈને પોતાના બુદ્ધિના આશય પ્રમાણે ભેગું થાય. દાદાશ્રીના આશયમાં હતું કે “રૂપાળી જોઈશે. હાઈલેવલના કુટુંબવાળી તો બહુ હોશિયાર હોય, તે મને હઉ દબડાવે. તેથી મને ભગવાન જેવા માનતી હોય એવી જોઈએ. બહુ ડેવલપ થયેલી નહીં હોય તો ચાલશે, હું
15