Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
४५०
• लोकागमाभ्यां भक्ष्यादिव्यवस्थासिद्धिः
=
·
भक्ष्याऽभक्ष्यव्यवस्थेह शास्त्र - लोकनिबन्धना ।
સર્વેવ ભાવતો યસ્માત્તસ્માવેતવસામ્પ્રતમ્ ।। (ગુજ. ૨૭/૨)।।રૂ।। ત્યîતવમ્યુવેય, યત:व्यवस्थितं हि गोः पेयं क्षीरादि रुधिरादि न । न्यायोऽत्राप्येष नो चेत्स्याद् भिक्षुमांसादिकं तथा ।।४।। વ્યવસ્થિતમિતિ । વ્યવસ્થિત ત્તિ નોઃ ક્ષીરવ પેય, રુધિરાવિ ન' । ન હિ વાઙાત્વાઽવિશેષાઅષ્ટપ્રરાસંવાવમાહ- ‘શ્યામક્ષ્યતિ । ારિા ભાવિતાથૈવ।।૭/૩|| મોક્ષીર-રુધિરયો: વિશેષઃ = भक्ष्याऽभक्ष्यत्वं तुल्यम् । ततश्च કે ‘લોકમાં જે કારણે ભક્ષ્ય-અભક્ષ્ય વગેરે વિષયક તમામ વ્યવસ્થા વાસ્તવમાં શાસ્ત્રમૂલક અને શિષ્ટપુરુષમૂલક છે તે કારણે બૌદ્ધોક્ત અનુમાનપ્રયોગ અનુચિત છે.' (૭/૩)
न हि गवाङ्गत्वात् उभयोः
# સ્વતંત્રસાધન-પ્રસંગસાધનમીમાંસા #
द्वात्रिंशिका - ७/४
For Private & Personal Use Only
વિશેષાર્થ :- સ્વતંત્રસાધન એટલે એવા પ્રકારનો અનુમાનપ્રયોગ કે જેમાં વાદી-પ્રતિવાદી બન્નેને માન્ય હોય તેવા હેતુ, સાધ્ય, પક્ષ અને ઉદાહરણ લેવામાં આવે. તેના દ્વારા પોતાને માન્ય એવા સાધ્યની પક્ષમાં સિદ્ધિ થાય છે. જે પક્ષ, ઉદાહરણ વગેરે પોતાને માન્ય ન હોવા છતાં પ્રતિવાદીને સંમત હોવાથી કાલ્પનિક રીતે, બૌદ્ધિક સ્તરે સ્વીકારીને પોતાને ન ગમતી એવી કોઈ બાબતનું પક્ષમાં નિરાકરણ કરવાનું હોય તેવા પ્રયોગને પ્રસંગસાધન કહેવાય. દા.ત. પર્વત અગ્નિવાળો છે, કારણ કે ત્યાં ધૂમાડો છે.’ આ અનુમાનપ્રયોગ સ્વતંત્ર સાધન કહેવાય. તથા ‘જો આત્મા સર્વથા નિત્ય હોય તો તે માણસમાંથી દેવ બની ન શકે, અર્થક્રિયાકારક બની ના શકે...’ આ પ્રસંગ સાધન કહેવાય, બૌદ્ધ કે જૈનને આત્મા વગેરેમાં એકાંતનિત્યત્વ માન્ય નથી, છતાં અલ્યુપગમવાદથી તેને સ્વીકારી એકાંતનિત્યઆત્મવાદી તૈયાયિક સામે ઉપરોક્ત વચન જૈન, બૌદ્ધ વગેરે બોલી શકે છે. તે પ્રસંગસાધન જાણવું.
પ્રસ્તુતમાં બૌદ્ધ લોકો વનસ્પતિને જીવ ન માનતા હોવાથી ભાત સ્વરૂપ ઉદાહરણમાં પ્રાણીઅંગત્વ હેતુ તેમના મતે અસિદ્ધ છે. માટે સ્વતંત્ર સાધન તરીકે પૂર્વોક્ત અનુમાન લઈ ન શકાય. હા, જૈનો વનસ્પતિને જીવ માને છે. માટે જૈનમત મુજબ પ્રાણીઅંગત્વ ગુણધર્મ ભાતમાં રહી શકે છે. તેથી અભ્યપગમવાદથી તેનો સ્વીકાર કરીને બૌદ્ધ લોકો જૈનોને એમ કહી શકે કે ‘માંસને જો પ્રાણીનું અંગ માનશો તો ભાતની જેમ તેને પણ ભક્ષ્ય માનવું પડશે.' પરંતુ પ્રસ્તુતમાં આવું પણ બૌદ્ધ વિદ્વાન કહી શકે તેમ નથી. કારણ કે ‘ભક્ષ્ય’ શબ્દનો અર્થ ‘જેને ખાઈ શકાય' એવો નથી. બાકી તો વિષ્ટા, છાણ, કાદવ વગેરે પણ બૌદ્ધ માટે ભક્ષ્ય બની જશે. પરંતુ ‘જેનું ભક્ષણ પાપમાં નિમિત્ત ન બને તેવો પદાર્થ’ આવો ભક્ષ્યપદનો અર્થ છે. આવું ભક્ષ્યપણું તો શિષ્ટ પુરુષને અને શાસ્રને માન્ય હોય એવી વ્યવસ્થા દ્વારા જ સિદ્ધ થાય, નહિ કે પ્રાણીઅંગત્વ ગુણધર્મ દ્વારા. તથા શિષ્ટલોકમાં અને શાસ્ત્રમાં માંસને અભક્ષ્ય ખાવાને અયોગ્ય જ બતાવેલ છે. આ વાત આગળના શ્લોકમાં ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે.(૭/૩) આ રીતે આ પ્રમાણે માનવું જરૂરી છે. કારણ કે →
=
ગાથાર્થ :- ‘ગાયનું દૂધ વગેરે પીવા યોગ્ય છે, નહિ કે લોહી વગેરે' આ પ્રમાણે વ્યવસ્થા કરાયેલ છે. પ્રસ્તુતમાં તર્ક પણ લાગુ પડે છે. બાકી તો બૌદ્ધ સાધુના માંસ વગેરેને પણ ભક્ષ્ય માનવું પડશે.(૭/૪) ટીકાર્થ :- લોકમાં અને શાસ્ત્રમાં પેય-અપેય વગેરે અંગે વ્યવસ્થા આ મુજબ થયેલી છે કે - ૧. મુદ્રિતપ્રતો ‘ન' પર્વ નાસ્તિ |
Jain Education International
www.jainelibrary.org