________________
ઉપર પણ રાગભાવ અને દ્વેષભાવને આધીન છે. પિતાની જાત ઉપર તેને એટલું બધું મમત્વ હેય છે કે પિતાની જાતનાં સુખની ખાતર કેઈ પણ પ્રકારનાં પાપકાર્યો કરતાં તે અચકાતો નથી. મિત્રીભાવ તેને પોતાની જાત ઉપરના મમત્વથી ખસેડી પરનાં સુખ માટે ચિન્તા કરનારો બનાવે છે. મૈત્રીભાવ આવ્યા પહેલાં પોતાની જાતનું જ એક મમત્વ તેના અંતરમાં હવાથી “દુનિયાનાં સઘળાં સુખે તેને પોતાને જ મળે એવી અનંત તૃણ તેનામાં છુપી રીતે રહેલી હોય છે. બધાં સુખ એક જ આત્માને મળી જાય, એવી પરિસ્થિતિ દુનિયાની કદી હોતી નથી, તેથી મિત્રીભાવવિહીન આત્મા હંમેશાં અત્યંત અતૃપ્ત અને શોકગ્રસ્ત જ રહે છે. જે સુખ પિતાને જોઈએ છે, તે સુખ પિતાને નહિ મળતાં બીજા કેઈને પણ મળે, ત્યારે તેના પ્રત્યે તે ઈર્ષાભાવવાળ બની રહે છે. એ રીતે ઈર્ષ્યા, શેક, અતૃપ્તિ, વગેરે અનેક દુખે પોતાની જાત ઉપર જ રાગવાળા જીવને સદા સતાવ્યા કરે છેક એ બધાં દુઃખોથી છોડાવનાર કેઈ પણ ચીજ આ દુનિયામાં હોય તે તે એક મિત્રીભાવના છે. મૈત્રીભાવનાથી તેને પિતાની જ એકલી જાત ઉપર રહેલો રાગભાવ નાશ પામે છે, અને પિતા સિવાય આ દુનિયામાં રહેલા બીજા અનંત પ્રાણીઓનાં હિતની અને સુખની ચિન્તા ઉત્પન્ન થાય છે. તેથી પિતા સિવાય બીજા જેટલા પ્રાણુઓ સુખને મેળવતા દેખાય છે, તેને જોઈને તે પિતે તે સુખી થનાર પ્રાણીઓ જેટલો જ આનંદનો અનુભવ કરે છે અને
13