Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 111
________________ દષ્ટિને ધારણ કરે છે. અન્ય દેવતાઓની પૂજામાં પણ તે શ્રી વીતરાગ ભગવંતની પૂજાની યોગ્યતાને જુએ છે. તેને સર્વ સદાચારે, કુલધર્મો, સારાં રીતરિવાજો, વગેરે જેને શ્રી વીતરાગભગવંત પ્રણીત ધર્મ પ્રત્યે લઈ જનારાં દેખાય છે. તે મહામધ્યસ્થ અનુષ્ઠાનનાં ફળ પ્રત્યે પણ મધ્યસ્થ હોય છે. તે નિષ્કામભાવે સદનુષ્ઠાનની સાધના કરે છે. તેના સર્વ અનુષ્ઠાનેમાં કર્મક્ષય કે આજ્ઞાપાલનનું ધ્યેય હોય છે. પરદર્શનેક્ત ઈશ્વરા૫ણ જેનદર્શનમાં આ રીતે ઘટાવી શકાયઃ કર્મક્ષયને ઉદ્દેશીને થતું અનુષ્ઠાન શ્રીસિદ્ધભગવંતરૂપ ઈશ્વરને અર્પણ થાય છે અને આજ્ઞાપાલન નિમિત્તે કરાયેલું અનુષ્ઠાન શ્રીઅરિહંત ભગવંતરૂપ પરમેAવરને અર્પણ થાય છે. ઈવાર્ષણ એટલે નિષ્કામભાવ. પ્રત્યેક અનુષ્ઠાનમાં તે મહામધ્યસ્થનાં ચિત્તરત્નમાં પરમ મધ્યસ્થ શ્રી તીર્થકર ભગવંતનું અધિષ્ઠાન (મરણાદિરૂપ) હોય છે અને તેથી તેને સર્વત્ર માધ્યથ્યની સિદ્ધિ થાય છે. વિચાર કરતાં જણાય છે કે શ્રી જિનપ્રવચન એ માધ્યય્યરસથી છલોછલ ભરેલું છે, કારણ કે તે પરમ મધ્યસ્થ એવા શ્રી જિનેવર દેવેનું સર્જન છે. શ્રી જિનપ્રવચનનું પ્રત્યેક અંગ સાધકને આ મહામા તરફ લઈ જવા માટે જાણે મથી રહ્યું ન હોય જેમ ન વગેરેનું ચિંતન માધ્યશ્મનું કારણ છે, * નિષ્કામભાવે ફળની આશંસા વિના. કાર્યના ફળની આશંસા એ જ સંસારવૃદ્ધિનું મૂળ કારણ છે.

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138