________________
“પૉરૅશાખતીક્ષા ” આ વિશેષણ વડે શ્રીસ્તુતિકાર ભગવંત આપણને એ બતાવે છે કે યોગસ્વરૂપ એવા શ્રીઅરિહંત પરમાત્માને જગપૂજ્ય બનાવનારાં કરૂણા અને માધ્યચ્યું છે, જેનાં હૃદયમાં કરુણાભાવના અને માધ્યશ્યભાવના ચરમ સીમાને પામે છે તેની પૂજામાં ત્રણે લોક તત્પર બને છે.
સારાંશ એ છે કે પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધન મિત્રી, મુદિતા, કરૂણા અને ઉપેક્ષા છે. આ ચાર ભાવનાઓના નિરંતર સેવનથી આપણે આપણા જીવનને પવિત્ર, આનંદમય અને આદર્શ બનાવવું જોઈએ.