________________
કરુણા ભાવના
(સંક્ષિપ્ત) ૧. નિમિત્ત કારણ:
દીન, આર્ત, ભીત, જીવિતને યાચનાર, વગેરે દુઃખી છે. ૨ નિમિત્ત કારણના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણઃ
પિતાના દુઃખ તરફને દ્વેષ, પિતાનું દુઃખ દૂર કરવાની ચિંતા, પિતાનાં સુખનું અભિમાન, પારકાનું બૂરું કરવાની વૃત્તિ, વગેરે. ૩. ઉપાદાન કારણરૂપ અશુભ વૃત્તિઓને આકારઃ
“મારું દુઃખ દૂર થાઓ', “મને કદી પણ દુઃખ ન આવે; હું સુખી છું, રૂપવાન છું, ઐશ્વર્યવાન છું', વગેરે. ૪. નિમિત્ત અને ઉપાદાન કારણના સંઘર્ષથી ઉત્પન્ન થતા
ચિત્તમળે :
દુઃખી તરફ ઉપેક્ષા, નિર્દયતા, ધૃણા, તિરસ્કાર, અભિમાન દ્વેષ, જુગુપ્સા, વગેરે. ૫. તે મળેના કારણે થતા અનર્થો :
દુ:ખી જીવોનાં દુઃખમાં વૃદ્ધિ, પિતાના દુ:ખમાં વૃદ્ધિ, સ્વાર્થિપણું, વગેરે. ૬. ચિત્તમળનાશક ઉપાય: - “સર્વનું દુઃખ દૂર થાઓ', એવી ભાવના; “સંસાર દુઃખમય છે, એવી ભાવના; પિતાના વર્તમાન દુઃખને દૂર કરવાની ચિંતામાં ન પડતાં, તે દુઃખ પ્રત્યે રહેલા ટ્રેષને દૂર કરવાનાં પ્રયત્ન જેવી તાલાવેલી પિતાનાં દુઃખ દૂર કરવા તરફ છે, તેવી જ બીજાનાં દુઃખ દૂર કરવામાં હોવી જોઈએ; સર્વ પ્રાણિઓને આમ તુલ્ય માનવાં વગેરે.